________________
દેખાય, પ્યાલાનું માપ એ દૂધનું માપ બની જાય, પ્યાલાનો આકાર એ દૂધનો આકાર થઈ જાય. ટૂંકમાં, જે દૂધનાં રંગ-રૂપ-આકાર-માપ વગેરે, લાલ-કાચના પ્યાલામાં રખાતાં પહેલાં, પોતાનાં જ હતાં, તે, હવે, આ પ્યાલાના સંસર્ગમાં આવવાથી, તેના પોતાના રંગ-રૂપ-આકાર-માપ વગેરે પ્યાલાનાં રંગ-રૂપ-આકારમાપનાં બની જાય. પ્યાલાનાં બધાં જ ગુણો-ધર્મો, દૂધ પર આરોપિત થઈ જાય. આ ઉદાહરણમાં, લાલ-કાચનો પ્યાલો, દૂધ માટે “ઉપાધિ” કહેવાય.
આપણી પ્રસ્તુત ચર્ચામાં, મૃત્યુ પામનાર મનુષ્યના આત્મા માટે, તેનું સૂક્ષ્મ શરીર' આવી જ એક “ઉપાધિ બની રહે. આ “ઉપાધિમાંથી આંત્મા ત્યારે જ મુક્ત થાય, જ્યારે પેલું એનું અજ્ઞાન દૂર થાય. પરંતુ અજ્ઞાન તો “અનાદિ કહેવાય છે, તેથી આ “ઉપાધિ પણ “અનાદિ જ બની રહે !
અનુવાદ – (હે શિષ્ય !) સાંભળ : “સૂથમ'-નામનું આ શરીર “લિંગ” (પણ કહેવાય છે), તે અ-પંચીકત મહાભૂતોમાંથી ઉત્પન્ન થયેલું હોય છે, તેથી તે વાસનાવાળું હોવાથી, તે (જીવાત્માને તેનાં) કર્મફળનો અનુભવ કરાવે છે અને પોતાનાં મૂળભૂત) સ્વરૂપનાં અજ્ઞાનને કારણે (આ સૂક્ષ્મ શરીર) આત્માની અનાદિ ઉપાધિ બની રહે છે. (૯૯)
ટિપ્પણ – આમ તો, આ શ્લોકનાં તાત્પર્ય સાથે સંકળાયેલી સર્વ વીગતોને, શબ્દાર્થ-વિભાગમાં, સવિસ્તર અને સ-ઉદાહરણ, સમજાવવામાં આવી જ છે. તે છતાં, પુનરાવર્તનનો દોષ હોરીને પણ, થોડી વધુ સ્પષ્ટતા સહાયરૂપ બની રહેશે, એ ઉદેશથી, આટલી વાતો યાદ રાખી લઈએ :
અગાઉ ચોખવટ કરવામાં આવી જ છે તે પ્રમાણે, મનુષ્યનું સ્થૂલ શરીર, પૃથ્વી-જળ-તેજ-વાયુ-આકાશ, - એ સ્થૂલ પંચમહાભૂતોમાંથી ઉત્પન્ન થાય છે. તો પછી તેનું “સૂક્ષ્મ” શરીર શામાંથી જન્મે છે ? - એ પ્રશ્નનો ઉત્તર આ શ્લોકમાં આપવામાં આવ્યો છે. સાંખ્ય-દર્શનનાં રપ-તત્ત્વોમાં એક “મહતુ”-નામનું તત્ત્વ છે, એમાંથી પાંચ સૂક્ષ્મ ‘તન્માત્રાઓ' (શબ્દ-સ્પર્શ-રૂપ-રસ-ગંધ) જન્મે છે. આ તન્માત્રાઓમાંથી જ, પેલાં પંચ-મહાભૂતો જન્મે છે, પરંતુ પંચ મહાભૂતો તો “સ્કૂલ” છે, જ્યારે તન્માત્રાઓ સૂક્ષ્મ છે. આ “સૂક્ષ્મ”માંથી “સ્કૂલ”નું સર્જન શી રીતે થઈ શકે ? એનો ખુલાસો એ છે કે આ “સૂક્ષ્મ' તન્માત્રાઓ, “પંચીકરણ'-નામની એક તાત્ત્વિક પ્રક્રિયા પ્રમાણે, પાંચ-પાંચનાં માપ પ્રમાણે અને અમુક નક્કી કરવામાં આવેલી રીતે, પરસ્પરમાં ભળી ગયાં, તેનાં પરિણામે, પંચ-મહાભૂતોનાં “સ્કૂલ” સ્વરૂપમાં તેઓ પરિવર્તિત થઈ ગયાં. ટૂંકમાં, આ સૂક્ષ્મ-શરીર પણ, સ્થૂલ શરીરની જેમ જ, પાંચ મહાભૂતોમાંથી જ ઉત્પન્ન થયું છે; ફરક માત્ર એટલો જ કે આ પાંચ મહાભૂતો ત્યારે, “પંચીકરણ”-પ્રક્રિયાનાં પરિણામે હજુ પૂલ થયાં ન્હોતાં, પંચીકરણ-પૂર્વેનાં (-પીત્ત) સૂક્ષ્મ-સ્વરૂપમાં જતિન્યાત્રાનાં સ્વરૂપમાં જ) હતાં, જેમાંથી આ સૂક્ષ્મ-શરીરનો જન્મ થયો.
૧૯૪ ! વિવેકચૂડામણિ