________________
પરંતુ સાધક સજાગ રહ્યો, ઈશ્વરની કૃપામાંની પોતાની શ્રદ્ધાને તેણે અચળ અને અડગ રાખી, શ્રુતિના સ્વાધ્યાયમાંથી જ્ઞાનદષ્ટિ મેળવી અને સદ્ગુરુને શરણે ગયો; બસ, આટલું તેના માટે, પૂરતું - More than enough - બની રહ્યું, પોતાની “વિવેકશક્તિને, “આત્મા’-“અનાત્માનો વિવેક કરવાની શક્તિને, સાચવી રાખવા માટે. હવે પેલાં આવરણની તાકાત નથી કે આવા “વિવેક સંપન સાધકના આત્મા પર, તમોગુણ, પ્રમાદનું પોતાનું આવરણ પાથરી શકે !
ટૂંકમાં, તેણે પેલાં પૌરાણિક હંસ-પક્ષીની જેમ, “નીરક્ષીરવિવેક' સિદ્ધ કરવાનો રહે; દૂધ (ક્ષીર) અને જળ (નીર) ભેગાં થઈ ગયાં હોય તે છતાં, હંસ, તે બંનેને, જુદાં કરી શકે છે : 'મ() સ: ' - “હું તે(પરમાત્મા) જ છું'- એવી જેને દઢ પ્રતીતિ હોય, તે જ હિંસ” ! - આવું વ્યુત્પત્તિ(Etymological)-આધારિત નામ, આથી જ, આ પક્ષીને પ્રાપ્ત થયું છે ! અને જે પુણ્યાત્માઓ “આત્મા’-“અનાત્મા'નાં મિશ્રણમાંથી “આત્માને જુદો તારવી શકે, તેમને, આથી જ, પરમહંસ' કહેવામાં આવે છે.
અને હિંસ' અથવા “પરમહંસની આવી ઉચ્ચ કક્ષાએ પહોંચેલી સાધક, આવરણશક્તિના સ્વયં-નાશ પછી, મિથ્યા-પદાર્થોમાં ફરી પ્રવૃત્ત જ ન થાય તો, તેનો આત્મા સર્વ પ્રકારના પ્રતિબંધોથી અસંદિગ્ધ રીતે મુક્ત બની જાય છે.
શ્લોકનો છંદ વસંતતિલકા છે, પરંતુ તેમાં નિયમ પ્રમાણે ચારને બદલે છ ચરણો(પાદ) છે, તે નોંધપાત્ર છે; કવિ તરીકે મળતી આ એક અધિકૃત છૂટ (Poetc Licence) છે. (૩૪૫).
. ૩૪૬ सम्यग्-विवेकः स्फुटबोधजन्यो ..
विभज्य दृग-दृश्यपदार्थतत्त्वम् । छिनत्ति मायाकृतमोहबन्धं
यस्माद् विमुक्तस्य पुनर्न संसृतिः ॥३४६॥ શ્લોકનો ગુજરાતી પાઠ:
સમ્યગુ-વિવેકઃ ફુટબોધજન્યો
વિભજ્ય દગુ-દેશ્યપદાર્થતત્ત્વમ્ | છિનત્તિ માયાકૃતમોહબધું સ્માદ્ વિમુક્તસ્ય પુનર્ન સંસ્કૃતિઃ ૩૪l.
પર | વિવેકચૂડામણિ