________________
पराञ्चि रवानि व्यतृणत्स्वयंभूः
તસ્માત્વાં પતિ નાન્તરાત્મન્ । (૨, ૧, ૧)
પરંતુ સાધકને તો ભીતરમાં રહેલા અંતરાત્માનાં જ દર્શન કરવાનાં હોવાથી, તેણે તો ઇન્દ્રિયોને અંતર્મુખ જ કરવાની રહી અને આવી 'અંતરમુખતા માત્ર એકાંતમાં જ શક્ય બને, જ્યાં ઇન્દ્રિયોને કશું વિષયભ્રમણા કરવાનું ન મળે. ઇન્દ્રિયોની આવી વિષય-ભ્રમણની કુટેવનું ગીતાએ પણ આ પ્રમાણે સમર્થન કર્યું છે :
ફન્દ્રિયાળિ પ્રમાથિની હરન્તિ પ્રપ્તમં મનઃ । (૨, ૬૦)
(“ઇન્દ્રિયો મથી નાખે એવી તોફાની હોવાથી, તે મનુષ્યનાં મનને બળાત્કારે વિષયો તરફ ખેંચી જાય છે.”) એકાંતમાં, આ રીતે, ઇન્દ્રિયોને અંતર્મુખ કર્યા પછી જ, ‘દમ’ વડે ચિત્ત-નિરોધ અને ‘શમ’ વડે અહંકાર-વાસનાઓ નાશ, - એ બે કાર્યો સિદ્ધ થઈ શકે.
અને આટલી સિદ્ધિ જ, મુનિને સદા અવિચળ એવી બ્રાહ્મીસ્થિતિમાં આનંદરસનો અનુભવ કરાવવા માટે પર્યાપ્ત બની રહે છે. ગીતાએ પણ આ સિદ્ધિને જ બ્રાહ્મી સ્થિતિ' કહી છે, જેની પ્રાપ્તિ પછી યોગીને કશો મોહ થતો નથી :
ઘણા બ્રાહ્મી સ્થિતિ: પાર્થ નૈનાં પ્રાપ્ય વિમુાતિ । (૨, ૭૨) શ્લોકનો છંદ : શાર્દૂલવિક્રીડિત (૩૬૯)
360
वाचं नियच्छात्मनि तं नियच्छ
बुद्धौ धियं यच्छ च बुद्धिसाक्षिणि । तं चापि पूर्णात्मनि निर्विकल्पे विलाप्य शान्ति परमां भजस्व
શ્લોકનો ગુજરાતી પાઠ :
વાચં નિયચ્છાત્મનિ તેં નિયચ્છ બુદ્ધૌ ધિયં યચ્છ ચ બુદ્ધિસાક્ષિણિ । તેં ચાપિ પૂર્ણાત્મનિ નિર્વિકલ્પે
॥૨૭॥
વિલાપ્ય શાન્તિ પરમાં ભજસ્વ ॥૩૭॥
૭૦૮ | વિવેકચૂડામણિ