________________
મુનિએ, મુક્ત થવું જ રહ્યું.
આમ, “યોગ-પ્રક્રિયાનું સાચું સ્વરૂપ સમજાવીને, અનર્થકારક યોગના ત્યાગની, આચાર્યશ્રીએ, સારી-સાચી સલાહ, મોક્ષાર્થી સાધકને સંપડાવી દીધી.
શ્લોકનો છંદઃ અનુષુપ (૩૭૨)
૩૦૩ अन्तस्त्यागो बहिस्त्यागो विरक्तस्यैव युज्यते ।
त्यजत्यन्तर्बहिः संगं विरक्तस्तु मुमुक्षया ॥३७३॥ શ્લોકનો ગુજરાતી પાઠ:
અન્તસ્યાગો બહિસ્યાગો વિરક્તચૈવ યુજ્યતે |
ત્યજત્યન્તબહિઃ સંગે વિરક્તસ્તુ મુમુક્ષયા ૩૭૩ શ્લોકનો ગદ્ય અન્વય :
अन्तस्त्यागः बहिस्त्यागः (च) विरक्तस्य एव युज्यते, विरक्तः तु मुमुक्षया अन्तर्बहिः संगं त्यजति ॥३७३॥ શબ્દાર્થ :
શ્લોકમાં બે સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે :
(૧) મત્સ્યા : વહિત્ય (૨) વિરસ્ય વ યુન્ય વિર એટલે જેને વૈરાગ્ય ઉપયો હોય તે મનુષ્ય. તેના માટે જ (વિ) બે બાબતો યોગ્ય રીતે શક્ય બને છે (યુ કે). કઈ બે બાબતો? એક તો સત્તા અને બીજો હિસ્ય આ બે ત્યાગની શક્તિ વિરક્ત મનુષ્ય જ ધરાવે છે, બીજું કોઈ નહીં : અન્તર્યા એટલે એની અંદર-ભીતર રહેલી વિષયવાસનાઓનો અને કામ-ક્રોધ વગેરે આંતરિક પરિપુઓ(છ શત્રુઓ)નો ત્યાગ; અને વરસ્યા એટલે બહારની ઇન્દ્રિયોની પ્રવૃત્તિઓનો, શબ્દ-સ્પર્શ વગેરે તન્માત્રાઓનો ત્યાગ.
(૨) વિર: તુ મુમુક્ષય અન્તર્વહિં સાં ત્યતિ . આ પહેલાંનાં વાક્યમાંનાં વિધાનનું કારણ આ વાક્યમાં આપવામાં આવ્યું છે. પેલા બે ત્યાગ, વિરક્ત માટે જ કેમ શક્ય છે ? - મોક્ષ માટેની એની ઈચ્છાની કારણે - મુમુક્ષયા | આ ઇચ્છા જ એને પેલા બંને ત્યાગ માટે પ્રેરે છે. સંગ એટલે આસક્તિ, બહાર અને અંદરની વિષયવાસનાઓ પ્રત્યેની આસક્તિ. તુ-શબ્દ, બંને વાક્યોમાંનાં વિધાનો વચ્ચેના તફાવતનો નિર્દેશ કરે છે. (૩૭૩).
૭૧૪ | વિવેચૂડામણિ