________________
(૩) –ાર-વિનક્ષણમ્ I કાર્ય-કારણ-ભાવ એટલે કોઈક કારણમાંથી કોઈક કાર્યની ઉત્પત્તિ થવી તે, આવી પ્રક્રિયા (Law of causation). આ પહેલાં, આચાર્યશ્રીએ, પોતાને અભિમત એવા કેવલાદ્વૈત'વાદના અનુસંધાનમાં, પ્રસ્થાપિત કરેલી બે સત્તા'(પારમાર્થિક અને વ્યાવહારિક સત્તા)નો આપણે ઉલ્લેખ કર્યો હતો. તે અનુસાર, જગત ભલે “મિથ્યા' હોય, પરંતુ વ્યાવહારિક “સત્તા'ના દૃષ્ટિકોણથી, બ્રહ્મ જગતરૂપી “કાર્ય'(Effect)નું “કારણ' (Cause) છે અને છતાં પારમાર્થિક “સત્તા'ના દૃષ્ટિકોણથી આવા કાર્યકારણભાવનું નિરીક્ષણ કરીએ ત્યારે, તરત જ સમજાય કે બ્રહ્મ આવા કાર્યકારણભાવથી વિલક્ષણ, પર અને ન્યારું-નોખુંનિરાળું છે.
બસ, આવું જે બ્રહ્મ છે, “તે તું છે', એવું તારી ભીતર ભાવન કર. (૨૬૧)
અનુવાદ : (જ) પોતે એક જ હોવા છતાં અનેકનું કારણ છે, બીજાં કારણોના નિષેધનું જ કારણ છે અને જે પોતે તો કાર્યકારણભાવથી વિલક્ષણ છે, – આવું જે બ્રહ્મ છે, “તે તું છે,' અંતકરણમાં એવું વિભાવન કર. (૨૬૧)
ટિપ્પણ : આમ તો, બ્રહ્મનાં ત્રણેય વિશેષણોને શબ્દાર્થ-વિભાગમાં સવિસ્તર સમજાવવામાં આવ્યાં છે, એટલે વધુ કશું ઊમેરવાનું રહેતું નથી. પરંતુ શ્લોકનો પાઠ કરતાં, એક હકીકત ઊડીને આંખે વળગે” છે, તેની નોંધ લઈએ :
શ્લોકની પહેલી ત્રણેય પંક્તિઓમાં, “કારણ” શબ્દ પ્રયોજાયો છે, અને તેમાંયે બીજી પંક્તિમાં તો, વળી, બે વાર ! આવો શબ્દપ્રયોગ કંઈ અકસ્માત નથી, પરંતુ સ-પ્રયોજન છે. એ પ્રયોજન વળી ક્યું ?
એ પ્રયોજન તે આ : બ્રહ્મ આ જગતનું “ઉપાદાન” અને “નિમિત્ત' બંને પ્રકારનું કારણ છે, એ તો સ્વીકારવું જ પડે, – વ્યાવહારિક અને પારમાર્થિક એવી પરસ્પર-વિરોધી બે સત્તા વચ્ચે અનિવાર્ય એવો મેળ બેસાડવા માટે. પરંતુ આવા ઉપલકિયા અથવા ઉપરચોટિયા મેળથી ભરમાઈને, કોઈક અધીરો-ઉતાવળિયોઅપરિપક્વ સાધક, આવા મેળને જ આત્યંતિક સત્ય માની લે તો ? તો તો, બહ્મભાવન” જેવા મહત્ત્વના મુદ્દાની સાચી સમજણથી તે વંચિત જ રહી જાય !
અને એટલે જ, વ્યાવહારિક સત્તા'ની પાછળ રહેલી, સાચી “સત્તા' સમી પારમાર્થિક સત્તા' પ્રત્યે સાધકનું લક્ષ ખેંચીને વેદાન્ત-દર્શનનાં હાર્દ સમાં આત્યંતિક અદ્વૈત'ની વિભાવનાની તેને પ્રતીતિ કરાવવી જ રહી !
બસ, આ જ હેતુ છે, કારણ” શબ્દની, ભિન્ન ભિન્ન દૃષ્ટિકોણના ઉદેશથી કરવામાં આવેલી, પુનરુક્તિ(Repetion)નું !
શ્લોકનો છંદ : રથોદ્ધતા (૨૬૧).
૨૬૨ निर्विकल्पकमनल्पमक्षरं यत् क्षराक्षरविलक्षणं परम् ।
વિવેકચૂડામણિ | ૪૮૭