________________
(યુન્ - જોડાઈ જવું, એ ધાતુ પરથી બનેલો શબ્દ), એટલે કે ઐક્ય માટે, ચિત્તવૃત્તિના નિરોધનાં ક્રમિક ઉચ્ચતર જે આઠ અંગો, એટલે કે સોપાનો, નિરૂપવામાં આવ્યાં છે તેમાં પણ છેલ્લું, ઉચ્ચતમ, આઠમું અંગ છે, - “સમાધિ', જ્યાં પહોંચતાં જ જીવાત્મા-પરમાત્મા, એ બે મટીને એક થઈ જાય છે, પરમાત્મા સાથે જીવાત્માનો યોગ” સિદ્ધ થઈ જાય છે.
આ “સમાધિ'ના બે પ્રકાર આ પ્રમાણે છે : (૧) “સવિકલ્પ' સમાધિ, અને (૨) “નિર્વિકલ્પ સમાધિ. “વિકલ્પ' એટલે વિચાર, સભાનતા. જે સમાધિ દરમિયાન, જ્ઞાતા-શેય-જ્ઞાન એ ત્રણ વચ્ચેના તફાવતનો વિકલ્પ, એટલે કે એવો વિચાર, એવી સભાનતાનું સેવન જીવાત્મા કરે, તેવી સમાધિને “સવિકલ્પ' કહેવામાં આવે છે; પરંતુ જે સમાધિ દરમિયાન, ઉપર્યુક્ત વિકલ્પ સંપૂર્ણ રીતે નષ્ટ થઈ ગયો હોય, એટલે કે જીવાત્માનું પરમાત્મામાં નિઃશેષ આત્મવિલોપન થઈ ગયું હોય, પરમાત્માથી એનું કશું અલગ અસ્તિત્વ રહે જ નહીં, તેવી સમાધિને “નિર્વિકલ્પ' કહેવામાં આવે છે : જીવ-બ્રહ્મ વચ્ચેના અદ્વૈતની આ છે સર્વોચ્ચ અને સંપૂર્ણ સિદ્ધિ.
નિર્વિકલ્પ-સમાધિનું આવું સ્વરૂપ સમજ્યા પછી, આવી સમાધિમાં જેઓ નિશ્ચલ બની ગયા છે તેઓ, ગમે તેવા “આરૂઢ-શક્તિ' અહંકારનો પણ વિનાશ કેમ કરી શકે છે, તેની પ્રતીતિ તરત જ થશે : આવી સર્વોચ્ચ સિદ્ધિએ પહોંચેલા સંન્યાસીઓ ક્યાં અને માત્ર બહત” એવા પેલા પંડિતો ક્યાં ?
શ્લોકનો છંદઃ ઉપજાતિ (૩૪૩)
૩૪૪ अहंबुद्ध्यैव मोहिन्या योजयित्वावृतेर्बलात् ।
विक्षेपशक्तिः पुरुषं विक्षेपयति तद्गुणैः ॥३४४॥ શ્લોકનો ગુજરાતી પાઠઃ
અહબુદ્ધચૈવ મોહિન્યા યોજયિત્વાવૃતબલાતું !
વિક્ષેપશક્તિઃ પુરુષ વિક્ષપતિ તઝુર્ણઃ i૩૪૪ શ્લોકનો ગદ્ય અન્વય :
मोहिन्या अहं-बुद्ध्या एव, विक्षेपशक्ति. आवृतेः बलात् तद्(विक्षेपशक्ति)गुणैः पुरुषं योजयित्वा (त) विक्षेपयति ॥३४४॥
વિવેકચૂડામણિ | ૬૪૭