________________
વિનાશ તો માત્ર આવા વિરલ સાધકો જ કરી શકે, તેમના સિવાય બીજું કોઈ ન કરી શકે. પરંતુ આનું કારણ શું? - વાસના દિ નત્તમવા સક્તિ એ બવ એટલે જન્મ, કારણ કે વાસનાઓ અનંત જન્મોની હોય છે, એટલે કે ભૂતકાળના અનેક જન્મો દરમિયાન વાસનાઓ એકઠી થતી રહે છે અને અહંકારનાં મૂળમાં રહેલી આવી વાસનાઓનો ઉદય થતો રહે ત્યાં સુધી, અહંકારની શક્તિ તો સતત વધતી જ રહે ! જન્મ-જન્મ જાગી ઊઠતી આવી વાસનાઓ જ અહંકારને શક્તિશાળી બનાવતી રહે છે. (૩૪૩) અનુવાદ :
“નિર્વિકલ્પ'-નામની સમાધિમાં જેઓ નિશ્ચલ બન્યા હોય છે, તેમના સિવાય, પંડિતો માટે પણ શક્તિશાળી બની ગયેલા અહંકારનો એકદમ વિનાશ કરવો શક્ય નથી; કારણ કે વાસનાઓ અનંત જન્મોની હોય છે. (૩૪૩) ટિપ્પણ :
‘દેહાદિ હું છું'- એવી સમજ એટલે ગમે-કાર, અહંકાર (Ego) : અહંકારનાં સ્વરૂપની ચર્ચા આ પહેલાં પણ થઈ ગઈ છે. જ્યાં સુધી દેહાદિ વગેરે “અનાત્મ-વસ્તુઓ પ્રત્યે અહ-ભાવ રહે ત્યાં સુધી, તેવી વસ્તુઓ સાથે સંકળાયેલી ઇચ્છાઓને સંતોષવાની “વાસના મનુષ્યને વળગેલી જ રહે છે અને એની સાથેનાં સઘળાં કર્મો સંપૂર્ણરીતે ભોગવાઈને ક્ષીણ ન થાય ત્યાં સુધી, આ “વાસનાઓ જન્મજન્મ ઉદિત થતી રહે, એકઠી થતી રહે અને આ રીતે વાસનાઓ અનંત જન્મોની બની રહે છે (અનામવા ફિ વાસના: ). ટૂંકમાં, અહંકારનાં મૂળમાં વાસના હોવાથી, શક્તિશાળી બનેલા અહંકારનો વિનાશ કરવો (મારૂઢ: મામ: વિના:
તું અને તે પણ જલદી, એકદમ, તરત જ (સદણી), - તે પંડિતો માટે પણ શક્ય નથી (૧ શલ્ય: I).
અહંકારનાં સ્વરૂપ વિશેની, યાદ રાખવા જેવી, બે વાત અહીં વ્યક્ત કરવામાં આવી છે : એક તો એ કે એનો વિનાશ કરવામાં પાંડિત્ય કે વિદ્વત્તા જરા પણ સહાયક બની શકતાં નથી; અને બીજું એ કે એના વિનાશની પ્રક્રિયા ધીમી હોય છે, એમાં ઉતાવળ ચાલે નહીં.
નિર્વિકલ્પ સમાધિમાં જેઓ નિશ્ચલ બન્યા હોય (ચે નિર્વિઋત્પરર્થસમધિનિશના:), તેઓ જ આવાં દુષ્કર કાર્યને સિદ્ધ કરી શકે છે. તો પછી, આ નિર્વિકલ્પ-સમાધિ એટલે શું?
પતંજલિ-પ્રબોધિત યોગ-દર્શનમાં, પરમાત્મા સાથેના જીવાત્માના સંપૂર્ણ યોગ
૬૪૬ | વિવેકચૂડામણિ