________________
હલનચલન વિનાનું, અને નામ એટલે હાલતું ચાલતું, ગતિશીલ; તેની પેલી જ્ઞાનમયી દષ્ટિ સ્થાવર-જંગમ એવા સર્વ પદાર્થોમાં, અંદર અને બહાર, સર્વત્ર, પ્રસરેલી હતી. (૩૩૯) અનુવાદ :
સ્થાવર અને જંગમ સર્વ પદાર્થોમાં, અંદર અને બહાર, જ્ઞાનમયી દૃષ્ટિથી પોતાની જાતને સર્વના આધાર તરીકે જોયા-જાણ્યા પછી, સર્વ ઉપાધિઓનો ત્યાગ કરીને, જે, અખંડ અને પૂર્ણ સ્વરૂપે રહે છે, તે જ મુક્ત છે. (૩૩૯) . ટિપ્પણ:
આચાર્યશ્રીની લાક્ષણિક વિભાવના અનુસાર, માત્ર મુક્તિ, મૃત્યુ પછી જ સાંપડતો મોક્ષ, - સાચા સાધક માટે, આદર્શ સિદ્ધિ નથી : મૃત્યુ પછી જ મુક્તિ મળે, એવી કોઈ શરત, એવી મર્યાદા, એવું Conditioning એમને માન્ય નથી. સંનિષ્ઠ સાધકને મુક્તિ માટે, મૃત્યુની રાહ જોવાની જરૂર નથી, એવો એમનો સુદઢ અને સુનિશ્ચિત મત છે અને આવા જીવન્મુક્તનું એક સંક્ષિપ્ત છતાં સ્વયંસંપૂર્ણ શબ્દચિત્ર આ શ્લોકમાં તેમણે આલેખ્યું છે.
ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ, ઉત્તમ અને આદર્શ મનુષ્ય(An ideal man)નું વર્ણન, આવાં જુદાં-જુદાં નામે, કર્યું છે: “સ્થિતપ્રજ્ઞ', “કર્મયોગી”, “ભક્ત', “ગુણાતીત' વગેરે. ગીતામાંનાં આવાં વર્ણનોને પોતાની દૃષ્ટિ સમક્ષ રાખીને, આચાર્યશ્રીએ, પ્રસ્તુત ગ્રંથમાં, “જીવન્મુક્ત'નાં લક્ષણો નિરૂપ્યાં છે, જેનો અછડતો ઉલ્લેખ અને પરિચય તેમણે આ પહેલાં, સૌપ્રથમ શ્લોક-૩૧૮માં આપ્યો છે અને આવા આદર્શ મનુષ્યનું, એટલે કે “જીવન્મુક્ત'નું સવિસ્તર વર્ણન, તેઓશ્રી, આ ગ્રંથના અંતભાગમાં આપવાના
આવા “જીવન્મુક્તનાં વ્યક્તિત્વની કેટલીક મૂળભૂત વિશિષ્ટતાઓનો. એક નમૂનારૂપે, પરિચય તેમણે અહીં આપ્યો છે : સૌથી પહેલી વાત તો એ છે કે તે પોતાની જાતને (સ્વ) સમગ્ર બ્રહ્માંડના સ્થાવર-જંગમ, જડ-ચેતન, વ્યક્ત-અવ્યક્ત સર્વ પદાર્થોમાં, પોતાની અંદર તથા બહાર (મન્તર્વહિ) જુએ છે. તેનું આ દર્શન એવું વ્યાપક અને વિશાળ છે કે તે સર્વાત્મદર્શી બની જાય છે. તેની જ્ઞાનમયી દષ્ટિનું જ આ પરિણામ છે અને તેથી તે હંમેશાં સર્વમાં પોતાનું જ દર્શન કરે છે અને તે પણ સર્વના આધાર તરીકે -(ાધારતયા).
| સર્વત્ર આત્મસ્વરૂપનાં દર્શનની આવી વિરલ સિદ્ધિ પ્રાપ્ત કર્યા પછી તેને કશી ઉપાધિઓ તો રહે જ નહીં : સ્વયંપ્રેરણાથી તે સઘળી ઉપાધિઓનો ત્યાગ કરીને (ત્યવિનોધ:), તે સંપૂર્ણતયા નિરુપાધિક' બની જાય છે અને પછી તેના માટે
૬૩૪ | વિવેકચૂડામણિ