________________
નિષ્ઠા સેવવી જોઈએ (નિત્યાત્મનિષ્ઠાપ); અને ત્રીજી વાત એ કે જે “આનંદ” પરમાત્માનાં મૂળભૂત “સ-ચિત-આનંદ-સ્વરૂપનો જ એક અંતર્ગત ભાગ (Integral part) છે, એવા આનંદનો સદૈવ ઇચ્છુક તેણે બની રહેવું જોઈએ (વીનત્તેચ્છુ:). બસ, આટલું જો તે યત્નપૂર્વક (યત્નતિ:) સિદ્ધ કરી શકે તો, આત્માનાં તત્ત્વનો જાણનાર (તસ્વર:) તે આપોઆપ બની રહે અને પછી તો, પેલાં “દશ્ય-અગ્રહણનું કાર્ય તેના માટે સાવ સહેલું બની જાય (માત્મનિ રળીય) : આત્મામાં જ, “દશ્યનું એટલે કે વિષયોનું “અ-ગ્રહણ”, તે કરી શકશે : વિષયો પ્રત્યેની એની દૃષ્ટિ જ આમૂલ પરિવર્તિત થઈ જશે, વિષયોને વિષયોનાં રૂપે નહીં, પરંતુ આત્મારૂપે જ જોવા-જાણવાનું તે શરૂ કરશે.
હવે, આટલે પહોંચ્યા પછી, એટલે કે “તત્ત્વજ્ઞ' બની ગયા પછી, સાધકને દશ્યનાં અ-ગ્રહણ ( ગ્રહણનો તાત્ત્વિક મર્મ આ રીતે સમજાશે : જે કંઈ દશ્ય છે, તેનું સાચું અધિષ્ઠાન તો જે “અદશ્ય' છે તે જ છે; “રજુ-સર્પ-ન્યાય'માં સાપ ભલે “દશ્ય હોય, પરંતુ તેને તેનું પોતાનું, સ્વકીય એવું કોઈ અસ્તિત્વ તો છે જ નહીં, એનું અસ્તિત્વ એનાં અધિષ્ઠાનરૂપ દોરડાંરૂપ અને દોરડાંના રૂપે જ છે; એટલે, “દશ્ય” એવા સાપનું અસ્તિત્વ, “અદશ્ય” છતાં “સત્ય” છે : એ જ રીતે, જગત “દશ્ય' હોવા છતાં “અસત્ય” એટલે કે “મિથ્યા છે અને “અદશ્ય' એવું બ્રહ્મ દશ્ય’ જગતનાં અધિષ્ઠાન-સ્વરૂપે “સત્ય” છે. માત્મનિ ઝરણીયમ્-નો માર્મિક અર્થ જ એ છે કે, વસ્તુતઃ, “દશ્ય'નું “અ-ગ્રહણ” કે “દશ્ય'નો ત્યાગ કરવાની જરૂર જ નથી : જે ક્ષણે સાધક, અદશ્ય જગતને, “અદશ્ય” આત્મારૂપે-બ્રહ્મસ્વરૂપે, જોવાનું શરૂ કરે, તે જ ક્ષણે, “દશ્યનું અ-ગ્રહણ”, સાચા અર્થમાં, સંપન્ન થઈ ચૂક્યું ગણાય !
અને આવી સિદ્ધિ એક જ કારણે શક્ય બની : સાધક હવે “તત્ત્વજ્ઞ' બની ચૂક્યો છે, “અદેશ્ય' એવા આત્માનાં તત્ત્વનું જ્ઞાન તે પામી ચૂક્યો છે અને તેથી જ, દશ્ય-અ-ગ્રહણ”નો આવો તત્ત્વાર્થ, આવું તાત્ત્વિક દર્શન, તેના માટે “હસ્તામલકવતું' સરળ અને સુલભ બની રહે છે !
શ્લોકનો છંદઃ શાર્દૂલવિક્રીડિત (૩૪૧)
૩૪૨
सार्वात्म्यसिद्धये भिक्षोः कृतश्रवणकर्मणः । समाधिं विदधात्येषा 'शान्तो दान्त' इति श्रुतिः ॥३४२॥
વિવેકચૂડામણિ | ૬૪૧
ફિમો - ૪૧
ફમાં - ૪૧