________________
અધ્યાસ: . (હાફૂર–શાંકરભાષ્ય) : તે” (૬) નથી, તેને તે” (ત૬) માની લેવું, તે “અધ્યાસ” છે. પુરુષ એટલે જીવ, જીવાત્મા. જીવાત્માને સંસારની પ્રાપ્તિ અધ્યાસરૂપી દોષનાં કારણે થાય છે. આ દોષને લીધે જ તે સંસારમાં પડે છે. જીવાત્મા માટે જો કોઈ સંસાર સર્જતું હોય તો, તે બીજું કોઈ નહીં, પણ આ અધ્યાસ-દોષ જ છે. (૨) અધ્યાવશ્વ તુ નમુના (મનસા) વન્વિતઃ | વન્ય: એટલે બંધન. તો પછી, આ અધ્યાસરૂપી બંધન કોની કલ્પનાથી ઊભું થાય છે? આ બંધન પણ આ (જની ચર્ચા ચાલી રહી છે તે, મન) દ્વારા જ કલ્પવામાં આવ્યું છે. આ કલ્પના પણ મનની જ છે. (૩) રન-તમ:-તોષવતઃ વિનિઃ (जीवस्य) जन्मादिदुःखस्य निदानं (अपि) एतत् (मनः एव अस्ति) । निदानं ZZG 462 $1291, - Origin, Root, Root cause. 3faaraot: Rza zal જીવ, જેનામાં વિવેકબુદ્ધિ ન હોય. આટલું ઓછું હોય તેમ, વળી પાછા તેનામાં રજોગુણ અને તમોગુણરૂપી દોષો હોય (રણ-તમ -તોષવત:). હકીકતમાં તો, તે વિવેકહીન બને છે, આ રજોગુણ-તમોગુણના દોષને કારણે જ. આવા જીવાત્માનાં જન્મ-મરણ વગેરેનાં દુઃખનું (નમાલ્વિક ઉચ્ચ) મૂળ (નિલાન) પણ આ મન જ છે. (૧૮૧).
અનુવાદઃ જીવાત્માને સંસારની પ્રાપ્તિ અધ્યાસ-રૂપી દોષનાં કારણે થાય છે. અધ્યાસનું (આ) બંધન પણ મનની કલ્પનાથી જ ઊભું થાય છે. રજોગુણ-તમોગુણના દોષનાં કારણે વિવેકહીન બનેલા જીવાત્માનાં જન્મ વગેરે દુઃખનું મૂળ પણ આ (મન જ) છે. (૧૮૧)
ટિપ્પણ: મનુષ્ય માટે સંસાર-પ્રાપ્તિ અધ્યાસદોષનાં કારણે થાય છે, અધ્યાસનું બંધન એ મનની જ કલ્પના છે, અને એનાં જન્માદિ દુઃખનું મૂળ પણ મન જ છે ! આમ, જીવાત્મા માટેની સઘળી અનર્થપરંપરાનાં “ગંગોત્રી' તરીકે તો આ “મનજી'ભાઈ જ પુરવાર થાય છે! છે તો દોરડું રન્નુ) જ, પણ અંધારાંનાં કારણે, મન એને “સર્પ માની બેસે છે ! આ જ “અધ્યાસ' – ભ્રમ, ભક્તિ, ભ્રમણા ! – જેને રજુસર્પન્યાય' કહેવામાં આવે છે.
આત્મા તો, હંમેશાં, શુદ્ધ, બુદ્ધ, મુક્ત, સત્ય-જ્ઞાન-આનંદરૂપ, અસંગ અને નિર્લેપ છે. આવા આત્માને દેહ-વગેરે માની લેવામાં આવે તે “અધ્યાસ' છે. દોરડાંને સાપ કોણ માની લે છે? મન જ ! આત્મામાં દેહાદિબુદ્ધિ કોણ કહ્યું છે? મન જ ! “આરોપવિષય” દોરડું અને “આરોપ્ય' સાપ, - એ બંને વચ્ચે વિવેક ન કરી શકવાનું પરિણામ ! “આ સાપ મને કરડશે,’ એવાં ભય-કંપ-આશંકાની ભૂતાવળ ! અવિવેકનું જ આ પરિણામ ! આત્મા અને દેહાદિ વચ્ચેના અવિવેકનું પણ એવું જ પરિણામ, – જન્મમરણ વગેરેનાં દુઃખ અને આ જ સંસાર ! અને સઘળાંનું મૂળ (નિલાન) પણ આ એક જ, – મન ! ગંગા, સ્વર્ગમાં હતી ત્યારે, તેને “મદાકિની' એવું દિવ્ય નામ મળ્યું હતું,
વિવેકચૂડામણિ | ૩૪૭