________________
ટિપ્પણ : મનોમય-કોશનાં નિરૂપણની સમાપ્તિ તરફ જઈ રહેલા સદ્ગુરુ, હવે, મુમુક્ષુ સાધકને, છેલ્લે, કેટલીક સલાહ-સૂચના આપે છે ઃ બુદ્ધિમાં પોતાનું થાણું જમાવી બેઠેલા પોતાના રજોગુણી સ્વભાવને પૂરેપૂરો ખંખેરી નાખવાનો રહે છે, આત્મસાક્ષાત્કાર અથવા બ્રહ્મસાક્ષાત્કાર માટે અનિવાર્ય એવાં અપરોક્ષ-જ્ઞાનના ઉદ્ભવ માટે આવશ્યક એવાં, શ્રવણ-મનન-નિદિધ્યાસન જેવાં ‘અંતરંગસાધનો'ની પરિપક્વતા પરત્વે નિષ્ઠા કેળવવાની રહે છે અને મોક્ષમાત્રની ઇચ્છાથી, તેણે, શબ્દાદિ વિષયો પ્રત્યેના રાગને નિર્મૂળ કરવાનો રહે છે, અને સર્વ કર્મોને ત્યજી દેવાના છે.
સ્થૂળ દેહ પ્રત્યેનો ‘અહં-ભાવ' નષ્ટ થઈ જાય, કર્તા-ભોક્તા-ભાવ સ્વયં ક્ષીણ થઈ જાય, અને મોક્ષ સિવાય બીજે ક્યાંય આસક્તિ ન રહે ત્યારે, સર્વ કર્મો એની મેળે સરી પડે છે. આ જ સાચો કર્મસંન્યાસ, અને સાધક જ્યારે પોતાની સાધનાની આવી ચરમસીમા(climax)એ પહોંચી જાય, ત્યારે બુદ્ધિમાંનો તેનો રજોગુણી સ્વભાવ તો ટકી શકે જ નહીં. તે તો આપોઆપ અને તત્કાળ ખરી પડે છે, સરી પડે છે, - જાણે કોઈક અણગમતી વસ્તુઓને ખંખેરી નાખતાં હોઈએ, એ રીતે !
અને પછી તો, નિરુપાધિક આત્મા બનવાનું, મનોમય કોશ માટે, શક્ય જ ન રહે !
શ્લોકનો છંદ : ઉપજાતિ (૧૮૪) ૧૮૫
मनोमयो नापि भवेत् परात्मा ह्याद्यन्तवत्त्वात् परिणामिभावात् ।
दुःखात्मकत्वाद् विषयत्वहेतो
-તા હિં દૃશ્યાત્મતા ન તૂટઃ ॥ ૪ ॥
શ્લોકનો ગુજરાતી પાઠ :
મનોમયો નાપિ ભવેત્ પરાત્મા હ્યાઘન્તવત્ત્વાત્ પરિણામિભાવાત્ । દુઃખાત્મકત્વાદ્ વિષયત્વહેતો
-દૃષ્ટા હિ દૃશ્યાત્મતયા ન દુષ્ટઃ || ૧૮૫ ||
શ્લોકનો ગદ્ય અન્વય ઃ આદ્યન્તવત્ત્વાત્ પરિગામિમાવાત્, દુ:ાત્મવાત, विषयत्वहेतोः अपि, मनोमयः (कोशः ) हि परात्मा न भवेत् । दृष्टा हि दृश्यात्मतया (જેનવિત્ ગત્તિ) । દૃષ્ટઃ ॥ ૧૮ ॥
શબ્દાર્થ : મુખ્ય વાક્ય છે : મનોમય: (જોશ:) હિ પરત્મા ન મવેત્ । હિ ૩૫૨ / વિવેકચૂડામણિ