________________
રાખવામાં આવે તો, ક્યારેય ન સ્વીકારી શકાય એવી, ઉપર્યુક્ત ત્રણ (7) અસંગતિઓને સ્વીકારવાની “મહા-આપત્તિ સર્જાય !
અને સંતો-મહંતો-મહાત્માઓ, જરા પણ ઢીલા કે નબળા બનીને, આવી અસંગતિઓ સ્વીકારે છે, તેમના માટે સારું કે હિતકારક નથી, એમને શોભતું કે છાજતું નથી !
શ્લોકનો છંદ : ઉપજાતિ (૨૩૪)
૨૩૫ ईश्वरो वस्तुतत्त्वज्ञो न चाहं तेष्ववस्थितः ।
न च मत्स्थानि भूतानीत्येवमेव व्यचीक्लुपत् ॥ २३५ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ :
ઈશ્વરો વસ્તુતત્ત્વજ્ઞો ન ચાહે તેપ્યવસ્થિત ન ચ મસ્થાનિ ભૂતાનીયેવમેવ વ્યચીપતુ ૨૩૫ /
શ્લોકનો ગદ્ય અવયઃ વસ્તુતર્વિજ્ઞ: ફંડ ન ર માં તેવું સ્થિત:, ન च भूतानि मत्स्थानि' इति एवं एव व्यचीक्लुपत् ॥ २३५ ॥ | શબ્દાર્થ : મુખ્ય વાક્ય : : પર્વ પત્ર વ્યવવસ્તૃત્ | વ્યવવસ્તૃત વિસ્તૃ એ ધાતુનું અદ્યતન ભૂતકાળ ત્રીજો પુરુષ એકવચનનું રૂપ, એટલે સ્પષ્ટ કહ્યું છે, ભારપૂર્વક, સુનિશ્ચિત રીતે કહ્યું છે. ઈશ્વરે સ્પષ્ટ કહ્યું છે. ઈશ્વર કેવો છે? વસ્તુતર્વિજ્ઞ - વસ્તુનાં મૂળ સ્વરૂપને યથાર્થ, સાચા અર્થમાં જાણનાર, પારમાર્થિક વસ્તુના જાણકાર. ઈશ્વરે શું કહ્યું છે? તેમણે આ બે સત્યો કહ્યાં છે : (૧) = માં તેવું (મૂds) મવસ્થિતઃ | “ન તો હું તેઓ(ભૂતો)માં રહું છું, કે (૨) ને ૨ (મૂતનિ) મનિ (ત્તિ) ‘તેઓ (ભૂતો) મારામાં નથી.” આનો અર્થ એ થયો કે ઈશ્વર ભૂતોમાં રહેલા નથી અને ભૂતો ઈશ્વરમાં રહેલાં નથી. (૨૩૫).
અનુવાદ : વસ્તુનાં મૂળ સ્વરૂપના યથાર્થ જાણકાર એવા ઈશ્વરે (ગીતામાં) ભારપૂર્વક આ પ્રમાણે જ કહ્યું છે કે – “ન તો હું તેઓ(ભૂતો)માં રહું છું કે ન તેઓ (ભૂતો) મારામાં રહે છે.” (૨૩૫). - ટિપ્પણ : આ શ્લોકનું તાત્પર્ય એ છે કે જગત સત્ય નથી, તે છતાં પણ જો જગતને સત્ય માનવામાં આવે તો, ગયા શ્લોકમાં પ્રતિપાદિત કરવામાં આવ્યું છે તેમ, ઈશ્વર અસત્યવાદી છે, એવો તાત્ત્વિક દોષ અથવા પ્રસંગ' ઊભો થાય.
હવે એ જોઈએ કે ઈશ્વર ક્યાં, ક્યારે શું બોલ્યા છે, અને એમના એ બોલ, એ વચનો, એમની એ ઉક્તિઓ, એ બધું, જગતને સત્ય માનવામાં આવે તો, - કેવી રીતે અસત્ય ઠરે. ભગવાન શ્રીકૃષ્ણ ગીતામાં આ પ્રમાણે કહ્યું છે :
૪૩૪ | વિવેકચૂડામણિ