________________
શબ્દાર્થ : આ ત્રણેય શ્લોકોનો અન્વય એકીસાથે કરતાં, મુખ્ય વાક્ય આ પ્રમાણે ઉપસી આવે છે : તથા પુમાનૢ તાત્ નિનપૂર્વ સદ્ વિજ્ઞાય વિાખા વિજ્ઞ: વિમૃત્યુ: (૪) (મતિ) । પુમાર્ એટલે જ્ઞાની મનુષ્ય, સાચો સાધક, આ પહેલાં જેને સુ-સૂક્ષ્મ બુદ્ધિવાળો (શ્લોક-૨૧૬) ‘આત્મવિપશ્ચિત' કહ્યો છે તે. આવા જ્ઞાની મનુષ્યને શો લાભ થાય છે ? તે નિષ્પાપ બનીને (વિપાા), રજોગુણથી રહિત બનીને, એટલે કે નિર્મલ બનીને (વિજ્ઞઃ) અમર થઈ જાય છે (વિમૃત્યુઃ મતિ ). આવો અતિવિરલ, દુર્લભ (લગભગ અશક્ય) કહેવાય તેવો લાભ તેને શા કારણે મળે છે ? બે કારણે : (૧) એક તો, તે છોડી દે છે, ત્યાગ કરે છે (વિમુખ્ય) માટે. શું છોડી દે છે ? વેઢું પયં (તથા ) યુદ્ધો મુહાયાં નહિત પતં વિત – પ્રતિનિમ્ન (વિસ્તૃ) । સ્થૂળ શરીર, બુદ્ધિ, તેમ જ બુદ્ધિરૂપી ગુફા(ગુન્હા)માં પડેલાં ચૈતન્ય(વિદ્)નાં પ્રતિબિંબને, ચિદાભાસને (ચિત્-આભાસ, એટલે જીવને) મિથ્યા સમજીને છોડી દે છે. અને બીજું કારણ (૨) એ કે તે બરાબર, સારી પેઠે, જાણી લે છે (સભ્યન્ વિજ્ઞાય). કોને જાણી લે છે ? તાત્ નિનરૂપમ્ । આ, એવાં, નિજ-સ્વરૂપને, પોતાનાં મૂળભૂત, સાચાં-ખરાં સ્વરૂપને સારી રીતે જાણી લે છે. તે ‘નિજરૂપ’ કેવું છે ? કાર સર્વના દ્રષ્ટા (Seer) સાક્ષી. અવડનોધમ્ - અનુવ્ડ એટલે સંપૂર્ણ, અવિનાશી ોધ એટલે જ્ઞાન, સંપૂર્ણ જ્ઞાનસ્વરૂપ, સર્વશ (Omniscient), સર્વ-પ્રાશમ્ સર્વને પ્રકાશનાર, સમગ્ર બ્રહ્માંડને પોતાના પ્રકાશથી ઉજાળનાર, ઝળાંઝળાં કરનાર, સત્-ગમત્-વિલક્ષળમ્ સત્ય અને અસત્યથી વિલક્ષણ, એટલે કે જૂદું-ન્યારું,-અલગ, કાર્ય અને કારણથી અળગુંનોખું, નિત્યમ્ - નિત્ય, શાશ્વત, વિમુક્ વ્યાપક, ‘ન્યાય’-દર્શન પ્રમાણે, સર્વવ્યાપી (Omnipresent, Eternal, Existing everywhere, pervading all material things), એટલે સમગ્ર ભૌતિક જગતને પોતાના વડે વ્યાપી રહેલું શાશ્વત તત્ત્વ, સર્વાતન્ સર્વમાં અનુગત, સર્વગામી, સર્વત્ર અનુસ્મૃત, સુસૂક્ષ્મમ્ અતિસૂક્ષ્મ (Very subtle), અન્તવૃત્તિ:શૂન્યમ્ - અંદરના તથા બહારના સર્વ ભેદોથી વિમુક્ત, એવા કશા ભેદોથી રહિત, અંદર-બહારના ભેદો વિનાનું, આત્મન: અનન્યમ્ - પોતાનાં સ્વરૂપથી અભિન્ન, પોતાનાં સ્વરૂપથી જરા પણ ભિન્ન નહીં એવું, અને આ જ પેલું નિજસ્વરૂપ (નિરૂપમ્), જેને બરાબર જાણીને પેલો જ્ઞાની પુરુષ (પુમાન) નિષ્પાપ, નિર્મલ અને અમર થઈ જાય છે. આ આખીયે ઘટનાને ‘તેવી રીતે’ ‘તથા' કહી છે, તો આ ઘટના કોના જેવી છે ? યથા વિપુષા અ: વિનિરીક્ષ્યતે। જેમ, જેવી રીતે, કોઈ વિદ્વાન (જ્ઞાની, વિચક્ષણ, સમજદાર માણસ) સૂર્ય(અ)ને જુએ છે. કેવો સૂર્ય ? સ્વયંપ્રાજ્ઞ: પોતાનાં તેજે પ્રકાશી રહેલો. વળી કેવો ? તંત્ તટસ્થ: ત્રિતય-અવમાસઃ । ત્રિતય એટલે ત્રણનો સમૂહ, અવમાસ એટલે આભાસ કરાવનારો. પરંતુ આ વિદ્વાન-માણસ સૂર્યને જુએ છે તે પહેલાં શું કરે છે ? ઘણીબધી (સર્વ) વસ્તુઓનો તે પરિત્યાગ કરે છે (વિહાય). આ બધી વસ્તુઓ કઈ કઈ છે ? યાં નાં તાતેં ગનિમ્નિમ્ - આમ ૪૧૨ / વિવેકચૂડામણિ
-