________________
શ્લોકનો ગદ્ય અન્વય : : મયે માત્મા સ્વયંખ્યાતિ, પંચોવક્ષ:, अवस्थात्रयसाक्षी सन्, निविकारः निरंजनः सदानन्दः, सः विपश्चिता स्वात्मत्वेन વિયઃ | રર | | શબ્દાર્થ : મુખ્ય વાક્ય : : (માત્મા) વિથતા વાત્મવેન વિશે: | વિપરાતું એટલે વિદ્વાન, જ્ઞાની, બહુશ્રુત પંડિત, સ્વાત્મવેન એટલે પોતાના આત્મા તરીકે રૂપે, વિય: જાણવો-માનવો-સમજવો જોઈએ. તે આત્માને વિદ્વાને પોતાનો આત્મા જાણવો, તે પોતાનો આત્મા છે એમ તે સમજે. તે આત્મા કેવો છે ?
સ્વયંખ્યોતિ સ્વયંપ્રકાશ, જે પોતાનાં, સ્વકીય તેજથી જ પ્રકાશે છે, તેવો, પંકોવિત્તક્ષા: પાંચેય કોશોથી જૂદો, ભિન્ન, ન્યારો (વિનક્ષણ:) છે, અવસ્થાત્રયનાક્ષી સન જાગ્રત-સ્વમ-સુષુપ્તિ એ ત્રણેય અવસ્થાઓનો સાક્ષી હોવાથી, હોવાને કારણે, સાક્ષી છે તેથી જ. સાક્ષી હોવાથી શું પરિણામ આવ્યું ? તે નિવર:, નિરંગન:, સલાનઃ આવો છે એની સાધકને પ્રતીતિ થઈ : નિર્વિર એટલે વિકારો-વિનાનો, વિકાર-રહિત, અવિકારી, નિરંજન: એટલે સર્વ પ્રકારનાં આવરણોનાં આચ્છાદનોથી મુક્ત, સદા અનાચ્છાદિત, સલા-માન એટલે જે સદાસર્વદા આનન્દરૂપ જ છે તે. (૨૧૩)
અનુવાદ : જે આ આત્મા સ્વયંપ્રકાશ, પાંચેય કોશોથી ભિન્ન, ત્રણેય અવસ્થાઓનો સાક્ષી હોવાથી, નિર્વિકાર, નિરંજન અને સદા-આનંદસ્વરૂપ છે, તેને વિદ્વાને પોતાના આત્મારૂપે જાણવો. (૨૧૩)
ટિપ્પણ: પ્રકૃતિ(Nature)માં જેને આપણે પ્રકાશો (Luminaries) કહીએ છીએ, – સૂર્ય, ચંદ્ર, અગ્નિ વગેરે, – તે પ્રકાશ કોનો છે, એવું આપણે કદી વિચાર્યું છે? કોઈને જરા વિચિત્ર લાગે એવી વાત છે કે આ બધાં પ્રકાશરૂપો કંઈ પોતાનાં મૂળ, સ્વકીય તેજ વડે પ્રકાશતાં નથી, સ્વયંપ્રકાશ નથી, પરંતુ પરપ્રકાશ છે, અને તે “પર' એટલે આત્યંતિક જ્ઞાન(ચિ)ના પ્રકાશ વડે નિત્ય, સતત, અવિરત પ્રકાશનો આત્મા, પરાત્મા, પરમાત્મા. આ આત્માનો પ્રકાશ મળતો રહેતો હોવાથી જ, માત્ર સૂર્ય-ચંદ્ર-અગ્નિ વગેરે જ નહીં. પરંતુ આ સમસ્ત બ્રહ્માંડ સતત
હુરતું-પ્રકાશતું-ભાસતું રહે છે. આથી જ કઠોપનિષદના ઋષિએ પોતાનાં નિરીક્ષણનો નિષ્કર્ષ આ પ્રમાણે અભિવ્યક્ત કર્યો છે :
न तत्र सूर्यो भाति न चन्द्रतारकं नेमा विद्युतो भान्ति कुतोऽयमग्निः । तं एव भान्तं अनुभाति सर्व
તમ્ય માતા સર્વ રૂટું વિમતિ | (૨, ૧૫) (ત્યાં સૂર્ય પ્રકાશતો નથી, ચંદ્ર તથા તારા પ્રકાશતા નથી, આ વીજળીઓ પ્રકાશતી નથી, તો પછી આ અગ્નિ તો પ્રકાશે જ કેવી રીતે? હકીકત એ છે કે સર્વ તેજ “પેલા એકમાત્ર પ્રકાશમાન” પછી જ ભાસે છે : તેના પ્રકાશ વડે જ આ સર્વ (જગત, બ્રહ્માંડ વગેરે) પ્રકાશે છે.)
૩૯૮ | વિવેકચૂડામણિ