________________
વગેરે સાથેના કશા પણ સંગ વગરનો, (ર) નિઝિયણ - કોઈ પણ પ્રકારની ક્રિયા વિનાનો, અને (૩) નિઃિ -આકૃતિ-આકારથી રહિત. આવા આત્માના અર્થસંબંધની વાત અહીં કરવામાં આવી છે. આવું કોની જેમ બને છે? નમ: નીતતાવિત / નગ એટલે આકાશ, અને નીતતા એટલે નીલિમા વાદળી રંગ. આકાશનો, જેમ વાદળી રંગની સાથે, સંબંધ, કોઈ ભ્રમ વગર ન હોઈ શકે તેમ. (૧૯૭).
અનુવાદ : આકાશનો, વાદળી રંગ સાથેનો સંબંધ જેમ ન હોઈ શકે તેમ, અસંગ, નિષ્ક્રિય અને આકૃતિ-વિનાના(આત્મા)નો, ભ્રમ વગર, (સંસારના દેહ, બુદ્ધિ વગેરે) પદાર્થો સાથેનો સંબંધ હોઈ શકે નહીં. (૧૯૭) - ટિપ્પણ : આ પહેલાંના શ્લોકમાં, શિષ્યનાં મનમાંની આશંકાઓનું સમાધાન કરવાનું શરૂ કરતાં, શ્રીગુરુજીએ, મોહવશ થયેલા માણસે ભ્રાંતિથી જે કલ્પના કરી હોય તે, મોહયુક્ત હોવાથી, પ્રમાણભૂત હોતી નથી, એવું વિધાન કર્યું હતું. હવે અહીં, તેઓશ્રી ભ્રાંતિનાં સ્વરૂપને અને સંજોગોને જરા વધુ વિસ્તારથી સમજાવે છે અને આત્માના આ સંસારમાંના દેહ વગેરે પદાર્થો સાથેના સંબંધની શક્યતાને સ્પષ્ટતાપૂર્વક નકારે છે. - આત્માને કોઈ પણ ક્રિયા કે આકૃતિ સાથે કશો જ સંગ, સ્પર્શ કે સંપર્ક નથી. તે જો કર્મ કરતાં, આકાર ધારણ કરતાં કે કશા સંપર્કમાં હોવાનો, ટૂંકમાં, કશો પણ ભોગ ભોગવતો જણાય ત્યારે, આવું બધું કેવળ ભ્રાંતિનાં કારણે જ થતું હોય છે એવું, શ્રીગુરુજી પ્રતિપાદન કરે છે, અને વધારામાં ઊમેરે છે કે આમ થાય છે તે, મોહમાં ડૂબેલા મનુષ્યની આ તો નરી ભ્રાંતિ જ છે, મોહિત કલ્પના છે. પોતાનાં આ પ્રતિપાદનનું સમર્થન કરવા માટે, તેઓશ્રી, તેમની નિરૂપણપદ્ધતિની, પહેલેથી જ ચાલી આવતી, એકધારી વિશિષ્ટતા પ્રમાણે, પ્રકૃતિનાં ક્ષેત્રમાંથી એક સરસ સરખામણી આપે છે : આકાશને તો કોઈ આકાર, રંગ કે સ્પર્શ-સંગ-સંપર્ક હોતો નથી. ટૂંકમાં, તે પણ આત્માની જેમ જ, અસંગ-નિષ્ક્રિય-નિરાકાર છે અને તે છતાં, એવું જે કંઈ દેખાય છે તે તો, વાદળીઓના આકાશ સાથેના સંબંધની જ નીપજ હોય છે. આકાશને વાદળી (નીત) કે બીજો કશો રંગ હોતો જ નથી. આકાશનો, વાદળી રંગ સાથેનો આ પદાર્થ-સંબંધ, મૂઢ એવા જોનારની માત્ર ભ્રમણા જ છે, મોહિત-કલ્પના જ છે ! • શ્લોકનો છંદ : અનુષુપ (૧૭)
૧૯૮ स्वस्य द्रष्टुनिर्गुणस्याक्रियस्य
प्रत्यग्बोधानन्दरूपस्य बुद्धेः । भ्रान्त्या प्राप्तो जीवभावो न सत्यो मोहापाये नास्त्यवस्तुस्वभावात् ॥ १९८ ॥
વિવેકચૂડામણિ | ૩૭૩