________________
ટિપ્પણઃ પેલા બિચારા પૂર્વપક્ષ-“ભાઈ સાહેબ' હાર્યા તો ખરા, છતાં “હાર્યો જુગારી બમણું રમે !' એ કહેવત પ્રમાણે, અથવા અંગ્રેજ કવિ ગોલ્ડસ્મિથ (Goldsmith 1728-1794)-i $14-'The Deserted Village Hill HALL ગામઠી શાળાના માસ્તર'(Village-schoolmaster)ની જેમ, -
'Even though vanquished, he could argue still ! “હાર્યા છતાં, દલીલબાજીમાં પોતે જરા પણ ઊણાં ઊતરે તેમ નથી !” – એવું પોતાનું ડહાપણ (કે “દોઢ-ડહાપણ' ?) દર્શાવવા, જ્યારે તેણે “સ્કૂલ દેહ તે આત્મા જ છે !' – એવું પોતાનું ગાણું ગાવાનું ચાલુ જ રાખ્યું ત્યારે, એને “ભોંયભેગો' કરવા માટે, સિદ્ધાંતપક્ષ માટે બીજો કશો વિકલ્પ હોતો !
પરંતુ આ વિશે આગળ જતાં પહેલાં, એક નોંધપાત્ર વાતની નોંધ કરી લઈએ : “સ્કૂલ શરીર એ આત્મા નથી”, – એ વિષય પર, અત્યારસુધીમાં, સવિસ્તર નિરૂપણ થઈ ગયું છે; આવશ્યક એવું, એના અનુસંધાનમાં, બધું જ કહેવાઈ ગયું છે; છતાં એ જ બાબતનું આવું, વારંવાર, પિષ્ટપેષણ' (fપષ્ટ) વેષમ) – એટલે કે “ખાંડેલા”(Pulverised, pounded, crushed)ને ફરી-ફરી અનેક વાર ખાંડવું.: એક ને એક વાતની વારંવાર પુનરુક્તિ -Repetition(કર્યા કરવી). શા માટે? આવો સવાલ કોઈક વાચકનાં મનમાં ઊઠવાની શક્યતા ખરી. • આમ તો, આવો સવાલ સાચો અને સમુચિત ગણાય, કારણ કે સાહિત્યવિવેચન-શાસ્ત્ર (Literary criticism)ના સિદ્ધાંત પ્રમાણે, “પુનરુક્તિ 'ને, લેખકનો, “દોષ” જ ગણવામાં આવેલ છે. આ બાબતમાં બે વાત લક્ષમાં રાખવાની રહે છે : એક તો એ કે આ ગ્રંથ સાહિત્યનો નથી, વેદાન્તનો, એટલે કે તત્ત્વજ્ઞાનનો છે, અને બીજી એ કે સ્વયં શ્રીશંકરાચાર્યજીએ, “બ્રહ્મસૂત્ર” પરનાં પોતાનાં ભાષ્યમાં, એક સ્થળે, “યૂણા-નિખનન”—નામનો એક “ન્યાય' ટાંક્યો છે : કોઈ-સ્થળે, ભોંયમાં, થાંભલો (ધૂળ) ખોડવાનો કે રોપવાનો હોય ત્યારે, એ થાંભલા માટેના ખાડામાં જરૂરી રેતી-પત્થરો નાખીને, થાંભલાને મજબૂત કરવા માટે, એને વારંવાર ખાંડ્યા-ખોડ્યા કરવા(
નિનન)ની જરૂર રહે છે. તત્ત્વજ્ઞાનની ચર્ચા દરમિયાન પણ, “સ્કૂલ શરીર તે આત્મા નથી”, – જેવા મહત્ત્વના વિષયને, શિષ્યનાં મનમાં દઢીભૂત કરવામાં, પુનરુક્તિ એ દોષ નથી, પરંતુ ગુણ બની રહે છે, એવું આચાર્યશ્રી માનતા હોય તો તે અસ્વાભાવિક નથી.
સ્થૂલ દેહથી આત્માની વિલક્ષણતા સિદ્ધ કરવા માટે અહીં, ફરી એક વાર, “વિલક્ષણ’–શબ્દ પ્રયોજાયો છે, પરંતુ એ “વિલક્ષણતા'ના બે નવા આધાર અહીં નિરૂપાયા છે : એક તો એ કે સ્કૂલ શરીર માંસ-મળ-સૂત્ર વગેરે ગંદાં તત્ત્વોથી લથપથ છે અને નિંદ્ય છે, જ્યારે આત્મા તો વિશુદ્ધિનું મૂર્તિમંત સ્વરૂપ છે અને આવકાર્ય-ઇચ્છનીય-પ્રાતવ્ય એવું એક તત્ત્વ છે. બીજું, આત્મા, એ દેહને જાણનારો (વા) છે, “જ્ઞાતા”(Knower) છે, દેહ તો આત્માનો “ય”(Knowable) એવો
વિવેકચૂડામણિ | ૩૧૧