________________
શબ્દાર્થ – યથા.. તથા (જેમ... તેમ, જેવી રીતે.. તેવી રીતે) એવા શબ્દપ્રયોગો વડે, શ્લોકમાં, બે વિધાનોની સરખામણી કરવામાં આવી છે. પહેલું વિધાન છે, યથા ૩: હિમફંફાવાયું: પતન (સર્વાન તાન) વ્યથતિ | હિમફંફાવીયુ એટલે ટાઢો–ઠંડો વંટોળિયો, વંટોળ, ઝંઝાવાતી પવન, વાયરો. એ વંટોળ કેવો છે? 3D: તોફાની, પ્રચંડ, સખત, પ્રબળ, તામ્ (સર્વાન્ તો ) આ સૌ લોકોને, બધાં માણસોને. શું કરે છે ? વ્યથતિ - અકળાવી મૂકે છે, હેરાન-પરેશાન કરે છે, વ્યથા પહોંચાડે છે, વ્યથિત કરે છે. એ વંટોળ આવું ક્યારે, કરે છે ? તુર્વિને સામે નિતિનનાથે (સાત) | બધા શબ્દોને સપ્તમી વિભક્તિમાં મૂકીને સમય દર્શાવતી આ “સતિ-સપ્તમી”-વાક્યરચના છે. યુનિ. એટલે એવો દિવસ, જ્યારે ધૂળકોટથી છવાઈ ગયેલાં અંધારાંથી બધું કાળું ધબ્બ બની ગયું હોય, A rainy-cloudy-stormy day. આમ તો, આ કારણે, સંસ્કૃત ભાષામાં, “દુર્ભાગી” – “કમનસીબ દિવસ” અથવા “અશુભ સમય માટે આ દુર્દિન” શબ્દ રૂઢ થઈ ગયો છે, પરંતુ અહી તો આ શબ્દ એના સામાન્ય શાબ્દિક અર્થમાં જ પ્રયોજાયો છે. આવો ‘દુર્દિન' શાને કારણે, શું થતાં, બની ગયો છે? સામે ઘાટાં વાદળાંઓને કારણે, ઘટાટોપ કરી રહેલાં વાદળાંઓને કારણે, અને #વનિવિનનાથે. વિનનાથ એટલે સૂર્ય. સૂર્ય ઊગવાથી જ દિવસ અસ્તિત્વમાં આવતો. હોવાથી, સંસ્કૃત ભાષામાં, “સૂર્ય માટે લિનર, વિશ જેવા શબ્દો બન્યા છે.
વન એટલે કોળિયો, A mouthful. આ શબ્દના નામક્રિયાપદ(વતિ )નું કર્મણિ ભૂતકૃદતનું રૂપ, વણિત, - એટલે “કોળિયો થઈ જવો (Swallow). કોઈ પણ વસ્તુનો કોળિયો થઈ જાય, એનો અર્થ એ કે તે વસ્તુ અદશ્ય થઈ ગઈ, દેખાતી બંધ થઈ ગઈ; અહીં, “સૂર્યનો કોળિયો થઈ ગયો', એટલે સૂર્ય દેખાતો બંધ થઈ ગયો, વાદળાંના ઘટાટોપને કારણે સૂર્ય દેખાતો બંધ થઈ ગયો, ઢંકાઈ ગયો. આવું બને ત્યારે પેલો ઉગ્ર ઠંડો વંટોળિયો, સ્વાભાવિક રીતે જ, સહુને અકળાવી મૂકે.
હવે, જેમ આવું બને છે, તેમ બીજું શું બને છે ? તીવ્રવિક્ષેપકિ કૃતવદ્ધિ વિદુહુર્વે: ક્ષતિ ા તીવ્રવિક્ષેપ એટલે રજોગુણની પેલી પૂર્વોક્ત “વિક્ષેપશક્તિ”. એ કેવી છે? તીવ્ર એટલે સખત, બળવાન, પ્રચંડ. એ શું કરે છે? ક્ષયતિ હેરાન કરે છે, તકલીફ ઊભી કરે છે. કોને ? મૂઢિવુદ્ધિ - મૂઢ મનુષ્યને, વિવેક વિનાના મૂર્ખ માણસને. શાના વડે? વહુર્વે બહુ પ્રકારનાં દુઃખો વડે. આવું તે વિક્ષેપશક્તિ ક્યારે કરે છે ? વિતતમાં માત્મનિ ગાવૃત્ત (સતિ) | આ પહેલાંનાં વાક્યની જેમ જ, અહીં, આ પણ, પેલો “સતિ-સપ્તમી’નો પ્રયોગ છે, - જે સમય દર્શાવે છે. આત્મનિ સાવૃત્તેિ સતિ (આત્મા) જીવાત્મા જ્યારે “આવૃત થઈ જાય, જ્યારે એનું “આવરણ' થઈ જાય, જ્યારે ઢંકાઈ જાય. શાનાં વડે ઢંકાઈ જાય ?
૨૮૪ | વિવેકચૂડામણિ