________________
ગાય જેવું જ પશુ જોયું કે તરત જ મને જ્ઞાન લાધ્યું કે ‘બસ, આ જ ગવય !' (અયં વ વય:।) ગવય-પશુનાં
આ જ્ઞાનની પ્રમાણભૂતતા એટલે ઉપમાન-પ્રમાણ.
(૪) હવે બાકી રહ્યું ચોથું અને છેલ્લું પ્રમાણ, શબ્દ-પ્રમાણ, શ્રુતિ-પ્રમાણ. હવે જુઓ : મને કોઈએ કહ્યું કે ‘સત્ય બોલવું જોઈએ' (સત્યં બ્રૂયાત્ ।) મેં પૂછ્યું કે ‘આ સત્ય બોલવાનાં જ્ઞાનને શા માટે સ્વીકારવું ?' એટલે તેણે તરત કહ્યું કે વેદોમાં આમ કહેવામાં આવ્યું છે.'
આ વેદો એટલે શ્રુતિ પ્રમાણ, શબ્દ-પ્રમાણ.
વેદોમાં જે કહેવામાં આવ્યું હોય, તે શંકાથી પર હોય છે, કારણ કે વેદોના તે ઋષિઓએ તે તે મંત્રોનું દર્શન કર્યું હોય છે, એ જ્ઞાન ઈન્દ્રિયોથી પર હોય છે, એ જ્ઞાન ‘અપૌરુષેય’, એટલે કે મનુષ્યબુદ્ધિથી પર હોય છે. તેથી કશી જ દલીલ કે ચર્ચામાં ઊતર્યા વિના, વેદોનાં જ્ઞાનને સ્વીકારી લેવાનું રહે છે, એ જ્ઞાનની પ્રમાણભૂતતા (Authority) સ્વયંસિદ્ધ હોય છે.
ટૂંકમાં, આપણી સર્વોચ્ચ અદાલત(Supreme)ના ચૂકાદા (Judgement) કરતાં પણ ચઢિયાતું આ પ્રમાણ એટલે શબ્દ પ્રમાણ, શ્રુતિ પ્રમાણ.
આત્મજ્ઞાન પણ આવું જ જ્ઞાન છે, અને એની પ્રાપ્તિનું સ્થાન (source) માત્ર એક જ છે, - વેદો, - એટલે કે શ્રુતિ.
આવાં શ્રુતિ-પ્રમાણમાં પાકા વિશ્વાસનાં મહત્ત્વનું આ શ્લોકમાં નિરૂપણ કરવામાં આવ્યું છે : શ્રુતિ પ્રમાણમાંની પરિપક્વ બુદ્ધિ જ મુમુક્ષુ સાધકને, ક્રમે ક્રમે, સંસારા સમૂળ અને સંપૂર્ણ નાશની સિદ્ધિએ પહોંચાડી શકે, જે સિદ્ધિ થતાં જ, તે આત્મજ્ઞાન અને તરત જ પછી મોક્ષ પ્રાપ્ત કરી શકે. શ્લોકનો છંદ : ઉપજાતિ (૧૫૦)
૧૫૧
कोशैरन्नमयाद्यैः पंचभिरात्मा न संवृतो भाति ।
निजशक्तिसमुत्पन्नैः शैवालपटलैरिवाम्बु वापीस्थम् ॥ १५१ ॥
શ્લોકનો ગુજરાતી પાઠ :
કોગૈરન્નમયાયૈઃ પંચભિરાત્મા ન સંવૃતો ભાતિ । નિજશક્તિસમુત્પન્નૈઃ શૈવાલપટલૈરિવામ્બુ વાપીસ્થમ્ ॥ ૧૫૧ ॥ શ્લોકનો ગદ્ય અન્વય : નિનત્તિસમુન્ત્ર: અન્નમયાધૈ: પંચમિ: જોશે શૈવાલપટલૈ: વાપીથ્થું ગમ્યું વ, આત્મા સંવૃત: (મતિ, યેન સ: આત્મા) ન ભાતિ || ‰ ||
શબ્દાર્થ : મુખ્ય વાક્ય છે : (સ: આત્મા) 7 માતિ । (તે આત્મા) ભાસતો નથી, દેખાતો નથી, દૃષ્ટિગોચર થતો નથી, નજરે પડતો નથી. આ આત્મા કેવો ૨૯૬ | વિવેકચૂડામણિ