________________
શ્લોકનો ગદ્ય અન્વય – રાસડ () જિયત્મિ વિક્ષેપકિ (તિ), થત: પુરાણી પ્રવૃત્તિ: પ્રકૃતા; અસ્થા: (વિક્ષેપણચા:) (૨) યે રાયઃ કુકવાવ: (૨) વિર: નિત્યે મતિ | શરૂ II
શબ્દાર્થ – નસ: વિક્ષેપ?િ (સ) ક્રિયાત્મિક (મતિ) / રજોગુણની તે “વિક્ષેપ' - નામની શક્તિ ક્રિયારૂપ છે; રજોગુણમાંથી તે ક્રિયાત્મક “વિક્ષેપ'નામની એક શક્તિ ઉત્પન્ન થાય છે, તેના વિશે શું કહેવાનું છે? એ જ કે, વત: પુરાણી પ્રવૃત્તિઃ પ્રવૃતા (પતિ) . જેમાંથી પુરાતન-સમયથી, અનાદિકાળથી બધી પ્રવૃત્તિઓ-ક્રિયાઓ પ્રસરતી રહે છે, થતી રહે છે. કથા: પવ, - આના દ્વારા જ, આ “વિક્ષેપ'-શક્તિમાંથી જ; મનસ: NIKય: કુષાય: રો વિ (ત્તિ), તે નિત્યં પ્રપતિ | રાયઃ - એટલે રાગ-દ્વેષ વગેરે, અને ટુવાલય: - એટલે દુઃખો, લોભ, અશાંતિ વગેરે; મનના આવા સર્વ જે વિકારો હોય છે, તે પણ હંમેશાં ઉત્પન્ન થાય છે. (૧૧૩) 2. અનુવાદ - રજોગુણમાંથી “વિક્ષેપ'નામની તે ક્રિયાત્મક શક્તિ પેદા થાય છે, જેના દ્વારા પુરાણા-સમયથી બધી ક્રિયાઓ પ્રસરતી રહી છે; અને (“વિક્ષેપ'શક્તિ) દ્વારા જ, રાગ દ્વષ) વગેરે અને દુઃખ (લોભ) વગેરે મનના જે વિકારો છે, તે હંમેશાં ઉત્પન્ન થાય છે. (૧૧૩).
ટિપ્પણ – માયાનાં સ્વરૂપની ચર્ચા દરમિયાન, તેના, માટે બે સૂચક વાતો કહેવામાં આવી છે : એક તો એ કે આ સઘળું જગત તેમાંથી જ સર્જાયું છે. (થયા. ટું સર્વ પતિ પ્રસૂયતે I. શ્લોક-૧૧૦); એટલે કે પરમેશ્વરની આ “માયા'નામક પરા શક્તિ જ જગતનું “ઉપાદાન” કારણ છે. બીજું, આ માયા સત્ત્વ વગરે ત્રણેય ગુણોથી યુક્ત (ત્રિગુણાત્મિા ) છે. પરિસ્થિતિ આ પ્રકારની હોવાથી, આ ત્રણ ગુણોનો સારા-નરસો (મોટે ભાગે તો, “નરસો જ !) પ્રભાવ, માયાનાં કાર્ય એવાં આ જગતમાં દશ્યમાન થાય જ. આ અને હવે પછીના, બે શ્લોકોમાં, આ ત્રણ ગુણોના પ્રભાવનું વર્ણન-વિવેચન કરવામાં આવ્યું છે.
પહેલી વાત તો એ કે જે મનુષ્યમાં રજોગુણ વધારે હોય, તેનામાં રાગદ્વેષ વગેરે વિકારો વધારે રહેવાના : ગીતા આ સંદર્ભમાં વધારે સ્પષ્ટ છે : રો રાત્મ વિદ્ધિ. (૧૪,૭), અને આ “રાગાત્મકતા જ તેનામાં આસક્તિ પ્રેરે છે, તેને પોતાની ઇચ્છિત વસ્તુઓ મેળવવા માટે સતત પ્રવૃત્ત રાખે છે, અનેક પ્રકારનાં કર્મોમાં, દોડાદોડીમાં તેને સક્રિય કરે છે; “રાગ” એટલે તે, જે મનને ગમે; અને શ્રેષ' એટલે તે, જેના પ્રત્યે મનને અણગમો હોય. જગતના પદાર્થો પ્રત્યે આસક્તિ (‘રાગાત્મકતા')વાળો મનુષ્યમાં આ બંને, - રાગ અને દ્વેષ, - હોવાના જ. વળી, આમ, અનેક વિવિધ કર્મોમાં જ રચ્યા-પચ્યા રહેતા માણસને, નિષ્ફળતા સાંપડતાં ક્યારેક, દુઃખ પણ અનુભવવાનું રહે, મનમાં અશાંતિ પણ ઊભી થાય,
વિવેકચૂડામણિ | ૨૨૩