________________
પરંતુ પોતાના વિકાસની પરાકાષ્ઠાએ, વિવર્ધન-પ્રક્રિયાની અંતિમ કક્ષાએ પહોંચે છે), અપક્ષીયતે (પછી તે ધીમે ધીમે ક્ષીણ થતું જાય છે, અને અંતે વિનશ્યતિ (“વિનાશ પામે છે”, મરણ પામે છે.).
જીવનનો મુખ્ય ઉદેશ ભલે મોક્ષ પ્રાપ્તિ હોય, છતાં સ્કૂલ શરીરનાં આવાં વિકારી-વિનાશી સ્વરૂપનું જ્ઞાન તેના માટે અનિવાર્ય બને છે :
षड् भावविकाराः भवन्ति इति वार्ष्यायणिः । - ગાય, ગતિ, વિપરિણામો, વર્ણ, અપક્ષીયતે, વિનશ્યતિ |
આ છ ભાવવિકારોનાં નામો, યાસ્કાચાર્યે(ઈ.સ. પૂર્વે ૭૦૦), પોતાના ગ્રંથ નિમાં, “વાર્ષાયણિ' નામના પોતાના કોઈક પુરોગામીના મત તરીકે, ઉદ્ધત (Quote)કર્યા છે; એટલે જીવાત્માની આ પરિસ્થિતિની વિભાવના(concept) કેટલી પ્રાચીન છે, એ સ્પષ્ટ બને છે.
અને આ પહેલાં ચોખવટ કરવામાં આવી છે તે જ વાત પ્રત્યે આ શ્લોકમાં પણ ધ્યાન ખેંચવામાં આવ્યું છે તે પ્રમાણે, આ સ્થૂલ શરીરનો મહિમા, એનું પ્રાધાન્ય, ત્રણ અવસ્થાઓમાંથી માત્ર “જાગ્રત” અવસ્થામાં જ છે.
જીવાત્મા પોતાની બાહ્ય આંખ, નાક, કાન વગેરે ઇન્દ્રિયો વડે જે અનેક ભોગ્ય પદાર્થોને ભોગવે છે, તેનાં વિવિધ સ્વરૂપો તો સર્વપરિચિત છે :સ્ત્રીપુરુષ-સમાગમ, વસ્ત્રાલંકારો, પુષ્પમાળાઓ અને ચંદનલેપ વગેરે.
શ્લોકનો છંદ : ઉપજાતિ (૯૧)
૯૨
सर्वोऽपि बाह्यसंसारः पुरुषस्य यदाश्रयः
विद्धि देहमिदं स्थूलं गृहवद् गृहमेधिनः ॥ ९२ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ :
સર્વોડપિ બાહ્યસંસારઃ પુરુષસ્ય યદાશ્રયઃ | વિદ્ધિ દેહમિદં સ્થૂલું ગૃહવદ્ ગૃહમેધિનઃ || ૯૨ //
શ્લોકનો ગદ્ય અન્વય – પુરૂષણ સર્વ: આપ વહિાસંપર: યુવાશ્રય:, ગૃહमेधिनः गृहवत् इदं स्थूल देहं विद्धि ॥ ९२ ॥ | શબ્દાર્થ – થવાય: (ય-બાયડ) જેના આશ્રયે, જેના આધારે, પુરુષસ્થ સર્વ પ વાસંસાર: (મતિ, સંમતિ) / પુરુષનો, એટલે કે જીવાત્માનો બધો જ, સંપૂર્ણ, બહારનો સંસાર, જીવન-વ્યવહાર, બહારનાં જગતની તેની પ્રતીતિ, અનુભૂતિ થાય છે, તેને આ સ્થૂલ શરીર સમજી લે, જાણી લે, સ્વીકારી લે(વિદ્ધિ). જીવાત્માનો આ આશ્રય કેવો છે ? ગૃહસ્થનાં ઘર જેવો જ. પૃદધન એટલે ગૃહસ્થ, સંસારી. (૨)
૧૮૨ | વિવેકચૂડામણિ