Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 3
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
સંથારા-પોરિસી સૂર૦૭૭ “પહેલી પૌરુષીમાં સ્વાધ્યાય (વાચનાદિ) કરે, બીજીમાં ધ્યાન ધરે, ત્રીજીમાં નિદ્રા લઈને તેનાથી મુક્ત થાય અને ચોથીમાં પુનઃ સ્વાધ્યાય કરે.”
એટલે સાધુ તથા પોષધમાં રહેલો શ્રાવક રાત્રિનો પ્રથમ પ્રહર કે પ્રથમ પૌરુષી સ્વાધ્યાયમાં વ્યતીત કરે છે અને તે પૂરી થતાં સંથારા-પોરિસીની તૈયારી કરે છે. તે વખતે ગૌતમાદિ ક્ષમાશ્રમણોને નમસ્કાર કરવા માટે પ્રથમની પ્રવૃત્તિના ત્યાગરૂપે અહીં ત્રણ વખત નિરીદિ શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. આ ત્રણ વખતનો પ્રયોગ મન, વચન, અને કાયાની ત્રિવિધ પ્રવૃત્તિના નિષેધરૂપ સમજવો.
નો મસમા માળં મહામુળીબં-નમસ્કાર હો ક્ષમાશ્રમણોને, ગૌતમાદિ મહામુનિઓને.
અહીં “ક્ષમાશ્રમણ” શબ્દ વડે સર્વ સાધુઓને સામાન્ય નમસ્કાર કરીને પછી ગૌતમાદિ મહામુનિઓને વિશિષ્ટ નમસ્કાર કરવામાં આવે છે. તેથી નિવીદિથી મહમુળri સુધીનો પાઠ નમસ્કારરૂપ છે. આ પ્રકારનો નમસ્કાર, સાધકને મહામુનિઓના જીવનની યાદ આપીને, સ્વીકારેલા નિયમમાં વિશેષ ને વિશેષ દઢ રહેવાની પ્રેરણા કરે છે.
જુનાગઢ નિકુંજ્ઞા ! હે જયેષ્ઠ આર્યો ! આજ્ઞા આપો.
અહીં જયેષ્ઠ આર્ય શ્રી વડીલ સાધુઓ સમજવાના છે અને સંથારા પર જતાં પહેલાં તેમની આજ્ઞા અભિપ્રેત છે. તે માટે ઓઘ-નિર્યુક્તિની ટીકામાં
અને સ્થવિરો નિદ્રા કરે (સૂ) છે.
પચોથા પ્રહર (પોરિસી) શરૂ થાય ત્યારે સ્થવિર, બાળ, વૃદ્ધ વગેરે સઘળાઓએ જાગીને ગુરુની વિશ્રામણા કરવી અને તે ચોથા પ્રહરે (પોરિસીએ) વૈરાત્રિક (વરત્તિ) કાળગ્રહણ કરવું એ બન્ને કાર્યો કરવાં તે સાપેક્ષ યતિધર્મ છે એમ સમજવું.
આચાય પણ કાલનું પ્રતિક્રમણ કરીને પુનઃ સૂવે ત્યારે સઘળા મુનિઓ જાગીને પ્રભાતિક (પાભાઈ) કાલગ્રહણ કરવાની વેળા થાય ત્યાં સુધી વૈરાત્રિક સ્વાધ્યાય કરે તે સાપેક્ષ યતિધર્મ છે. તે પછી ગુરુ(આચાર્ય) જાગે છે.
-ધર્મસંગ્રહ ભાષા. ભાગ-૨. પૃ. ૨૮૭થી ૨૯૮.
૫. પૃ. ૨૯૭માં ગાથા ૧૦૨ છે. ૬. ગાથા ૧૦૧ની ટીકામાંથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org