________________
માગવી સારી, એવી ભાવના કરી! પછી વિજયથી લભ્ય રાજ્ય-સંપત્તિ પર એમ વિરક્ત થઈને શસ્ત્રો હેઠાં મૂકી દીધા! હવે તેને શ્રીકૃષ્ણ તરફથી લડાઈ માટે એમ ઉત્તેજિત કરવામાં આવે છે કે “આ વિરાગ નથી પણ તારી કાયરતા છે! આત્મા અજર અમર છે, “એને હું મારું છું” એ ભ્રમ યાને અભિમાન તું શા માટે રાખે છે?...” ઈત્યાદિ. તેથી એ ઉત્તેજિત થઈ ભયંકર લડાઈ લડે છે. આ વચ્ચે ખૂનખાર જંગ જામે છે. તેમાં કેઈ મહાન પુરુષને નાશ, ભયંકર ઠેષ, અને દુર્ગાન તથા વિષયતૃષ્ણાનાં પિષણ વિગેરે પરિણામ નીપજે છે! શું આવા વચને સત્ય અને સુંદર ? પાયામાં માંડણી અને અન્તિમ પરિણામ જ આ પ્રકારનું હોય એવાં વચનોને સત્ય અને સુંદર શી રીતે કહી શકાય? એને મોક્ષશાસ્ત્ર કેમ કહી શકાય? કષાયથી ભૂલા પડેલા જીવોને તથા સંગવશ એવાઓને પક્ષ કરનાર સજજનોને મારી નાખવામાં મૈત્રી અને કરુણાભાવ ક્યાં રહ્યો છે તે તે વિનાની મોક્ષ–સાધનાની પ્રક્રિયા સત્ય સ્થાને યથાર્થ કેમ ગણાય? અને એ વિતરાગતા તથા મેલને કેવી રીતે નિપજાવી શકે?
શ્રી ઋષભદેવ–વચન :
ત્યારે પંચસૂત્રમાં દર્શાવેલ પ્રયોગ–વિધિનાં ચમત્કાર જોઈએ. ભગવાન ઋષભદેવના અઠ્ઠાણુ પુત્રો, જેમને ભગવાને પિતાની સંસારી અવસ્થામાં અલગ અલગ રાજ્ય આપેલ હતા, તેમના પર મોટાભાઈ ભરતે, ચક્રવતપણું સંપૂર્ણ કરવા માટે પિતાની આજ્ઞામાં આવી જવા, નહિતર લડાઈ