________________
મનને ઓછું શું લગાડવું? સંસાર સર્વ અંગે તો નહિ પણ એક અંગે ય સંપૂર્ણ દેનાર નથી, છતાં સંસાર–રસિકનો સ્વભાવ જ દીનતા કરવાનો ! વારેવારે મનને ઓછું જ આવ્યા કરે ! સંસારનો રસ જીવને મૂઢ બનાવે છે. એ પદુગલનું ય સ્વરૂપ સમજતો નથી, તેમજ આત્માનું ય સ્વરૂપ સમજતો નથી! એ આત્માનું અવિનાશી, અપરાધીન, એકાત સુખસ્વરૂપ સમજતો નથી. એ આત્માનું અવિનાશી, અપરાધીન, એકાંત સુખસ્વરૂપ જડ પુગલના સ્વરૂપમાં શોધે છે એને ભાન નથી કે “પુગલ તે નાશવંત છે, પરાધીન છે, અને પુદ્ગલના આશીને એ દુઃખ દેવાના સ્વભાવવાળા છે, ત્યાં તે સુખ જડે? અમૃતની શોધ સર્પના મુખમાં કરાય ? સાચા સુખી થવું હોય તો સંસારને વિશ્વાસી ન બન. સંસાર એટલે જ ઓછપ ! ત્યાં પૂર્ણતા ન હાય; તેથી થોડામાં તૃપ્તિ કર. “મારે શી ખામી છે?” એમ મન રાખી જરાય દીન ન બન, ડું મળ્યું ઝાઝું માન, તે જ હજુ કાંઈ સુખની આશા રહે, આ તો જ બને કે જે જીવ અર્થ કામને સર્વસ્વ ન માને, ને ઇન્દ્રિયોના વિષયમાં લુબ્ધ ન બને. નહિતર એકાદવાર મહાસંયમ પણ પાળ્યું હોય છતાં જે વિષયગૃદ્ધિ જાગી, તે પછી જીવ એ દીન અને કંગાળ બને છે કે પૂર્વકમાઈ જાણે બધી ડૂલ! કંડરીકની દીનતા
બહુ ઊંચે ચઢેલાને પણ જે દીનતા આવી જાય તો કે પટકે છે એ પુંડરીક-કંડરીકની કથામાં જોવા મળે છે. પુંડરીક રાજા છે, નાનો ભાઈ કંડરીક ચુવરાજ છે. એકદા નગરમાં મહામુનિ પધાર્યા. એમની દેશના સાભળી બંને વૈરાગ્યવાસિત બન્યા.