________________
૧૮૦
બચતાં શ્રીકાન્ત વ્રતને મહા પ્રભાવ જાણ ખાનગીમાં રાજાને સમજાવીને સાધુપણું લીધું, ને એ પંચ મહાવ્રતના પરમાર્થ સુધી પહોં! છે (૩) રાજુ શેઠને અનીતિત્યાગનું વ્રત હતું. એકવાર એક ઘરાક માલના પૈસા ચૂકવી ગયા પછી રાજુએ જોયુ કે એ વધુ પૈસા આપી ગયો છે. તેથી વધારાની રકમ લઈ એને પાછી આપવા ગયા. પેલે કહે “મેં તો સદા વખતના બજારભાવ પ્રમાણે બરાબર જ પૈસા ચુકવ્યા છે, તે વધારે શાને?” રાજુ શેઠ કહે મેં તો બે દિવસ પૂર્વ ભાવ ચાલુ ધારી માલ વેચે છે, તે ભાવ ઓછો હતો, તેથી આ વધારાના નાણાં ન્યાયસર મારાથી ન રખાય.” પૈસા આપી ચાલી ગયા. પેલાને શેઠ પર એટલે બધે આદર થયા કે પછી પોતે અને બીજા અનેક જણ શેઠના પાકા શ્રદ્ધાળુ કાયમી ઘરાક બન્યા, કમાઈ ખૂબ વધી. એ કમાઈરાજુ શેઠે નીતિધર્મના ઘરની જેઈ એને ઉલ્લાસથી ધર્મ માર્ગે જોડતા ગયા. આમ અનીતિત્યાગના તે એમનામાં મંદિર–ધર્મશાળા-ચાત્રાસંઘજ્ઞાનભંડાર વગેરે અનેક ધર્મક્ષેત્રોમાં મહાન સુકૃતના પરમાર્થ જગાવી દીધા. ૭ (૪) વિજયશેઠે–વિજયશેઠાણીને બ્રહ્મચર્ચ (૧) કેવલિ–મુખે એમની પ્રશંસા કરાવી, અને (૨) ચારિત્ર સુધીના પરમાથે એમને પહોંચાડ્યા! (૫)મણિકાન્ત શેઠને પરિગ્રહ પરિમાણ ધારેલું. પૂર્ણ થવાથી, વેપારમાથી ધીખતી કમાઈ છતાં, વેપારથી એ છૂટા થઈ ગયા. ભાગીદારે જોયું કે “મૂળ હું તો ગરીબ, પણ શેઠના ટેકાએ આટલે ઊંચે આવ્યા, તેથી કૃતજ્ઞતા અદા કરવા ખાનગીમાં શેઠના છોકરાનું નામ ભાગીદાર તરીકે ચોપડે ચડાવ્યું. અમુક વખત પછી મણિકાન્ત શેઠને ભાગની કમાઈ આપવા જતાં એમણે એ લેવાના પાડી. આણે મણિકાન્તના છેકરાના નામથી ભારે ખર્ચ કરી આચાર્ય