________________
૨૪૮
કહ્યું છે કે અર્થ (ધન)ના રાગમાં અંધ બનેલો જીવ પાપને જ આચરીને જે કાંઈ લાભ મેળવે છે, તે બડિશામિષની જેમ તે રાગાન્ધ જીવને વિનાશ કર્યા વિના પરિણમતો નથી, અર્થાત્ વિનાશનો જ પરિણામ લાવે છે.
બડિશામિષ એટલે શું ? બડિશ=માછલી; આમિષર માંસ. જેમ માછીમાર માછલાં પકડવા લેખંડી અણીયારા કાંટાને માંસના ટૂકડાથી ઢાંકી પાણીમાં નાખે છે, ત્યારે એ માંસ અત્યંત સ્વાદિષ્ટ લાગતું હોઈને માછલાં કોઈપણ જાતના વિચાર વગર ઝડપથી તેને મેંમાં આખું ગ્રહણ કરે છે, અને ખાવા લાગે છે ત્યાં જ પેલે કાંટે તાળવાને વીંધી નાખી એમાં ટેલો રહે છે. અજ્ઞાનીને શું ખ્યાલ કે સ્વાદિષ્ટ સુંદર દેખાતા માંસની અંદર રહેલ આંકડે (ક) તારે સ્વાદ પૂરો થતાં પહેલાં અને એ માંસ પચતા પહેલાં જ તને તાળવે વીધી ઘાતકીના હાથમાં પકડાવી તારા પ્રાણને હરી, જીવનને નાશ કરશે? એજ પ્રમાણે અનીતિથી મેળવેલી સંપત્તિ અને ભોગવિલાસે, દેખીતી રીતે તો ક્ષણવાર ઘણા જ સ્વાદિષ્ટ લાગશે, પરંતુ તેની આશાએસ લેતાં પહેલાં જ તેની પાછળનાં પાપોથી બાંધેલા મહા ચીકણું કમો તારા આત્માને ફૂરપણે હણી નાખશે. પવિત્ર, સુંદર, તેજસ્વી ને મહાશક્તિશાળી તારા આત્માને મલિન, બિભત્સ, તે જરહિત અને મહાઅશક્ત બનાવી, હતો ન હતો કરી દેશે!—એ જીવે ભૂલવું જોઈતું નથી. બ્રહ્મદત્ત, ત્રિપૃષ્ઠ, મમ્મણ વગેરેનાં દૃષ્ટાંતમાં એ બરાબર જોવા મળે છે.
આ બધી વસ્તુ કેણુ સમજાવે છે? આત્માને સુંદર અતિસુંદર, અને મહાસુખી બનાવવાનો માર્ગ કાણુ બતલાવે છે