________________
૪૯૫
પ્રજ્યા–ફલસૂત્રમ ]
(૨) “અગતસિદ્ધિઓ –નિશ્ચયની સાથે વ્યવહારને પ્રધાનપણે માનવાથી જ અનેકાંતવાદ પ્રમાણસિદ્ધ કરે છે. (૩) “
નિય ગભાણ-વ્યવહારથી ચારિત્ર વગેરેનું પાલન કરતાં કરતાં, આતર પુરુષાર્થ શુદ્ધ બનીને અપૂર્વક રણાદિ નિશ્ચયસાધના પ્રાપ્ત થાય છે.
આમ આ ત્રણ પ્રબલ હેતુએ વ્યવહાર પણ મેક્ષાંગ છે. કિંતુ એટલું ખાસ ધ્યાનમાં રાખવા જેવું છે કે દંભ યા મલિન આશંસા આદિથી રહિત શુદ્ધ વ્યવહાર એજ આજ્ઞાનુસારી પુણ આલંબન છે અર્થાત નિશ્ચયધર્મની પ્રાપ્તિ માટે શુદ્ધ એવા વ્યવહારનું આલંબન પુષ્ટ આલંબન ગણાય, અથવા શુદ્ધ જ વ્યવહાર નિશ્ચયરૂપી પુષ્ટ આલંબનવાળે ગણાય, અશુદ્ધ વ્યવવહાર તો આ જીવે અનંત કર્યા છતાં એ સર્વથી જે કાર્ય ન સિધ્યું, તે કાર્ય નિશ્ચયના ધ્યેય સાથેના શાસ્ત્રોકત શુદ્ધ ચારિત્રાદિ. વ્યવહારથી સિદ્ધ થાય છે.
વ્યવહાર જરુરીના દાખલા –
નિશ્ચય–ચાસ્ત્રિ ત્રીજી કષાયની ચેકડીના ક્ષપશમથી પ્રગટતા આત્માના શુદ્ધ પરિણાને કહે છે. એનું સંપાદક, સંવર્ધક અને સંરક્ષક વ્યવહાર–ચારિત્ર છે. અર્થાત્ સંસારના સ બંધ સિરાવી, હરણાદિ સાથે, પ્રભુ સમક્ષ, ગુરુ પાસે ચારિત્રની પ્રતિજ્ઞા કરી જ્ઞાનાદિ પંચાચારનું પાલન, શાસ્ત્રાધ્યયન,
૧ આત્મા અપ્રમત સર્વવિરતિના ભાવથી આગળ વધી પકશ્રેણી પર ચઢવા જે અભૂતપૂર્વ આત્મવીર્ય ફેરવે છે, તે અપૂર્વકરણ કહેવાય એથી આગળ વધી અનિવૃત્તિકરણ મેક્ષપણ, ઘાતિકર્મને નાશ વગેરે નિશ્ચય-સાધના કરે છે, પછી કેવળજ્ઞાન પામી શૈલેશીકરણ કરી મુકત થાય છે.