________________
૫૦૬
[પંચસૂત્ર-૫
એનાથી. બીજા ત્રીજા વિકારેની જેમ, અપાત્રદાનનું સાહસ, ટૂંકી દૃષ્ટિ, આગમવચનની ઉપરવટતા, વગેરે વિકારે પણ ન થાય. આવાને જગદ્ગુરુ ઉપર આંતર ભક્તિ ખૂબ હોય જ. એમાં નવાઈ નથી, અને એથી જ એ આગમ-પરિણતિવાળે આવી જે સાચી દયા કરે, તે દયા પણ અનુબંધવાળી સુપ્રવૃત્તિ દ્વારા, અર્થાત્ સમ્યફ પરમાર્થમય પ્રવૃત્તિઓની પરંપરા દ્વારા, મોક્ષને અવશ્ય સાધી આપે છે.
આ રીતે પ્રત્રજ્યાફલ-સૂત્ર સમાપ્ત થયુ. એથી પંચસૂત્રની વ્યાખ્યા પણ સમાપ્ત થઈ. વ્યાખ્યાની સાથે પચસૂત્ર પૂર્ણ થયું. હવે ટીકાકાર મહર્ષિ નીચે મુજબ વદન વાંછા કરે છે. - શ્રુતની અધિષ્ઠાત્રી શ્રી સરસ્વતી દેવીને નમસ્કાર હો. નમસ્કાર કરવા ગ્ય સઘળાયને નમસ્કાર છે. સર્વે વંદનીયને હું વદન કરું છું. સર્વે ઉપકારીઓનાં વૈયાવચ્ચ (સેવા)ને હું ઈચ્છું છું. એ સર્વના પ્રભાવે ઔચિત્યનાં પાલનપૂર્વક ધર્મમાં મારે પુરુષાર્થ છે. સર્વે જીવો સુખી થાઓ. સર્વે જ સુખી થાએ, સર્વે જીવો સુખી થાઓ. ત્તિ શ્રેરિતનાજાત-પન્નરૂત્રણવભાવાર્થg-મર્થ-રાकार-श्रीहरिभद्रसूरिकृतटीकानुसारेण सिद्धान्तमहोदध्याचार्यश्री विजयप्रेमसूरीश्वरशिष्याणुपंन्यासभानुविजयकृतम् 'उच्च प्रकाशना पंथे' नामकं वालभाषाविवेचनं समाप्तिमगात् । विवेचनेऽस्मिन् यदि सूत्रकारटीकाकाराशयविरुद्धं श्रीजिनवचनविरुद्ध वा किञ्चित्प्रलपितं स्यात् तदा तन्मे
भिथ्या दुष्कृतं भूयादिति ।