Book Title: Panchsutra
Author(s): Bhanuvijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 548
________________ [ પંચસૂત્ર-ય પરીસહ-ઉપસર્ગ નુ` સહન, વગેરે કરવુ, એ જે વ્યવહાર–ચારિત્ર છે, તે જ વાસ્તવિક કષાયક્ષયાપશમ અને વિરતિભાવરૂપી નિશ્ચયચારિત્રમાં આત્માને ખરેખર રમતા રાખે છે. ભાણામાં પીરસેલી રસાઈને જોયા કરવાથી આંતરિક તૃપ્તિ ન થાય. આંતરિક તૃપ્તિ તે એને હાથમાં લઈ માંમા મૂકી ચાવી પેટમાં ઉતારવા વગેરેના ખાદ્ય વ્યવહારથી જ થાય ઉપદેશક કે કવિના હૃદયમાં ગમે તેવા ઉપદેશ કે કાવ્ય રમતા છતાં, એ ઉચ્ચારણુ કે લેખનરૂપ વ્યવહારમાં ન ઉતરે ત્યા સુધી ખીજા એને સ્વાદ કયાથી અનુભવે ? વસ્તુ કે વ્યક્તિ પર પ્રેમ હેાવા છતાં જો એના પર શાલા કે એની સરભરા જોતાં પ્રેમ વધી જાય છે, તા એ વ્યવહારના જ મહિમા સૂચવે છે. ઉન્માર્ગે ચઢી ગયેલાને સત્તમાગમ, પરમાત્મદર્શન, વૈરાગ્યશ્રવણ, ધાર્મિક અનુષ્ઠાન, કન્ય-પાલન વગેરે વ્યવહાર મળે છે, તે તે નિશ્ચય-સન્માર્ગ પામે છે; જ્યારે એ વ્યવહારમાં ન આવનારા અને તેથી જ ઇંદ્રિય— ગુલામી, ભેાગપુલ પટતા, ધનલેાભ, કષાયી ચેષ્ટા, વગેરેમા લીન રહેનારા, એ આત્મામાં શુભ ભાવ નથી જગાડી શકતા, એ પ્રત્યક્ષ દેખાય છે. એ નિશ્ચયને શું પામે? નિશ્ચયનયને એકાંત માની ખાહ્ય ખીજા વ્યવહારને ઉડાવનારાને પણ સામામાં નિશ્ચયની શ્રદ્ધા-સમજ કરાવવા માટે ઉપદેશ, લેખ વગેરે ખાદ્ય વ્યવહારનું જ શરણું લેવું પડે છે. એ સૂચવે છે વ્યવહાર એ નિશ્ચયની સિદ્ધિ માટે પ્રવૃત્તિનુ' અનિવાય આવશ્યક અંગ છે નિશ્ચયની પ્રાપ્તિ વ્યવહારથી, નિશ્ચયની વૃદ્ધિ વ્યવહારથી, નિશ્ચયનું શેાધન વ્યવહારથી, નિશ્ચયની પૂર્ણતા વ્યવહારી. તેરમા ગુણુસ્થાનકને અંતે ચેગેાના નિરેધરૂપી વ્યવહાર આદરવાથી જ સ્થિર આત્મપ્રદેશરૂપ નિશ્ચયનાં પૂર્ણતા થાય છે. ૪૯૬

Loading...

Page Navigation
1 ... 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572