________________
પ્રવજ્યા-ફલસૂત્રમ્
४८१ ગુમાવે, પછી ભવ્યત્વ પકવવાની સગ-સામગ્રી વિનાના ભાવમાં એ બેકાર શું સાધી શકવાનો? ભવ્યત્વ એ ચિંતામણિ છે, એને આરાધો. ભવ્યત્વ એ બીજ છે, એને પકવો. બીજાઓ મેસે ગયેલા સાંભળીને, “ત્યારે, મારો મોક્ષ થશે કે નહિ!” આ પ્રમાણે થતી શંકા પણ પિતાનામાં ભવ્યત્વને સાબિત કરે છે.
એમ મારા આત્મામાં નિશ્ચિત થયેલા ભવ્યત્વને, અહો ! હું કેમ જલદી પકવું ! એ તમન્ના જોઈએ.)
ભવ્યત્વ એ અનાદિ સાત સ્વભાવ શાથી? –
પ્રય-ભવ્યત્વ નિવૃત્ત થવાના સ્વભાવવાળું છે કે નિત્ય છે? નિત્ય હોય તે મોક્ષમાં પણ ભવ્યત્વ રહે. અર્થાત મોક્ષગમન
ગ્યતા રહે! તેથી તે વસ્તુતઃ મેક્ષ થી જ ન ગણાય. ત્યારે જે ભવ્યત્વ નિવૃત્ત–સ્વભાવ હોય તે કયારનું ય નિવૃત્ત થઈ જવું જોઈએ, જે એમ કહે કે કારણ સામગ્રી પામીને નિવૃત્ત થાય છે, તે પણ નિવૃત્ત થનારા એવા ભવ્યત્વને જીવને સ્વભાવ કેમ કહેવાય ? સ્વભાવ તે તે કહેવાય કે જે વસ્તુ સાથે કાયમ રહેતે હાય. તેથી આ રીતે તે ભવ્યત્વ અસિદ્ધ નડિ બને ?
ઉ૦-ન, ભવ્યત્વ અને ઉપર મુજબ વિકલ્પ ઉઠાવવા નકામા છે, કેમકે યદ્યપિ ભવ્યત્વ શાશ્વત નિત્ય નથી, પણ નિમિત્ત. પામીને મોક્ષ થતા એ નિવૃત્ત થવાના સ્વભાવવાળું છે; છતાં એ ભવ્યત્વ જીવને જે સ્વભાવ ગણાય છે, તે વ્યવહારથી. નિશ્ચ યથી તો જીવમા સદા સ્થાયી એવા જ્ઞાનાદિ ધર્મને જ સ્વભાવે કહેવાય તેવી ભવ્યત્વ એ જીવને સ્વભાવ ખરો, પણ નિશ્ચયનયથી નહિ, કિ તુ વ્યવહારથી વ્યવહાર એજ રીતે વ્યવસ્થિત છે, કે ભવ્યત્વ કર્મપ્રેરિત યા કર્માધીન નહિ, કિ જીવ જ્યારથી.