________________
૨૯૪
[પંચસૂત્ર-૩ પરિણતિ યાને એ જ ઉદય હોય, કે એ આટલું કહેવા છતાં બંધ નથી પામતા, અને પુત્રને પિતાને સંસારમાંથી ચોક્કસ નીકળવું તે છે જ, તો શું કરે? એમ ને એમ ન નીકળી જાય, પરંતુ પહેલાં પિતાની શક્તિ અનુસારે પૈસા વગેરેથી એમની સેવા કરે, તેમના જીવનનિર્વાહની શક્ય ચિંતા-વ્યવસ્થા કરે. તે સ્વમતિએ શુદ્ધ આય-ઉપાયનું ઉપાર્જન હોવું જોઈએ. તેમાં બીજાની પાસેથી ઉપજાવાય તે આય, અને વ્યાજ વગેરેની જે નિયત આવક તે ઉપાય પિતાની શક્તિ હોય, તેટલા પ્રમાણમાં એ કરી આપે. થાવગ્ના પુત્ર કરોડની સંપત્તિ છોડી ચારિત્ર લેવા તૈયાર થાય છે ત્યારે એનાથી પ્રભાવિત થઈ કૃષ્ણ દ્વારિકામાં ઢરે પીટાવે છે કે “આવા થાવસ્ત્રાપુત્ર જેવા ચારિત્ર લે છે તો જે જે કઈને ચારિત્ર લેવું હોય તે ખુશીથી લે એની પાછળની કુટુંબની આજીવિકા, અંધ અશક્ત માતાપિતા સંભાળ, વગેરે ચિંતા કૃષ્ણ વાસુદેવ સંભાળી લેશે.” આ પછી થાવસ્થા પુત્ર સાથે ૧૦૦૦ વણિક ચારિત્ર લે છે. ત્યારે એમાં કેટલાક આજીવિકા–સંપાદન આદિ અર્થે અટકી ગયેલા હશે, તે પણ હવે એની ચિંતા પતી જવાથી ચારિત્ર લેનારા બન્યા હશે.
પ્રક-બીજાની સહાય લઈને શું માતાપિતા ધર્માદાનું બાય? ઉ૦-આ પ્રશ્ન ચારિત્રની જ વાત આવે ત્યારે કેમ ઊઠે છે?
સંસારમાં રહે એવા અનેક પ્રસંગ બને છે કે અનિવાર્ય સંજોગોમાં યા બીજી રીતે અન્યની સહાય લેવાય છે ને તેમાં ધર્માદાનું ખાધું નથી મનાતું. દા. ત. દીકરા-દીકરી પરણાવવા અતિ જરૂરી હોય તો સંજોગવશ લોન લેવાય છે, ને ચાંલ્લા તે ખુશમિશાલ લેવાય છે! એમાં ઉદાર શેઠ