________________
પ્રવજ્યા-પરિપાલન ]
૩૩૯ જગ્યા ન મળી, તેથી શું થઈ ગયું ? ન ય મળે ક્યાં બધા બારી પાસે બેઠા છે? પવન ન મળતાં, આ કાયામાંથી શું ઓછું થઈ જવાનું છે? ઘર-દુકાનમાં કયાં પવન મળે છે ? અથવા આખો દિવસ તે પવનમાં ફરું છું, તે ઘડી પવન ન મળે, તેથી શું? જડ-સગવડ કરતાં તે ક્રિયા વધુ મહત્વની છે, લાભદાયી છે. પવનની ઈચ્છામાં તે વાયુકાય જીની વિરાધનાની અનુમોદના છે.’ આગ્રહ ન હોય, તો એ પ્રમાણે વિચારે તેથી કુવિકલ, દુર્બાન અને કષાયથી મુક્ત થાય. આ સામાન્ય દાખલા પરથી સમજવાનું, કે જે આગ્રહ આવી તુછ–નજીવી વાતમાં આટઆટલા કુવિકલપોથી પીડે, તે મેટી વાતમાં કેટલા ભયંકર વિકલ્પની હાળી સળગાવે ?
પુણ્ય દુબળુ મળ્યું હોય ત્યાં આગ્રહ શા સારુ રાખવા કે આ શાતા, આ ત્રાદ્ધિ, કે આ માનપાન મળવું જ જોઈએ? સુખ સગવડના માલ પુણ્યના નાણું પ્રમાણે જ મળે. નાણાં ન પહોંચતા હોય, ને માલને આગ્રહ રાખવો એ ખોટું. વળી અનંતા કર્મ જ્યાં જીવને ગુલામની જેમ વેઠમાં ઘસડી રહ્યા હોય, ત્યાં ગુલામને આગ્રહ શા કે “મારું આ માન રહેવું જ જોઈએ? મારૂં બીજાએ માનવું જ જોઈએ? એવા આગ્રહમાં પુણ્ય અનુકૂળ નહિ હોવાથી માન ન મળતાં ભારે ચિત્ત-કલેશ થાય છે. એમ માયાના કે ક્રોધના આગ્રહ પણ ફેગટ છે. જીવને સચોગ શીખવે છે, કે “તું ક્રોધ કર, અભિમાન કર, માયા કર.” પછી પિતે તેને આગ્રહ રાખવા છતાં ન ફાવ્યું તે કહેશે, “દુનિયા બધી એવી જ છે. અહીં ભાવી છે. ઉઠાવગીર છે.” આ કેવું? જગતને દબાવવા ગયે, પણ પુણ્યાઈ