________________
[ પંચસૂત્ર-૫
સાંખ્યમતની શાખાનું કહેવું છે કે, અનાદિ–બદ્ધ માનવાને બદલે અનાદિથી અબદ્ધ એવા જીવને પાછળથી બંધ થયે માનીએ તો શો વાંધો? પ્રશ્ન થાય કે બદ્ધમાથી મુક્ત થયેલાને ફરી બંધ કેમ નહિ? તે તે આ રીતે કે પૂર્વે કદી બંધ નહોતા થયે તે વખતને આત્મા તે “અબદ્ધ આતમા અને દિક્ષાથી બંધાયા પછી મુક્ત થયેલ આત્મા તે “બદ્ધમુકત’ આત્મા. હવે ફરી દિક્ષા નહિ, તેથી બંધાવાનું નહિ મૂળમાં આત્મા યાને ચેતન પુરુષ સદાનો અકર્તા અભક્તા છે, કર્તા તો જડ પ્રકૃતિ છે. એનાં સર્જન મહત્ત–પહકાર–શબ્દરૂ પાદિત માત્રા-ઈંદ્રિય અને પંચભૂત છે આત્મા એમાં અભેદભ્રમ સેવી માને છે કે “હું કર્તા છું, આ બધું મારું છે.” સાંખ્યની એક શાખા જે અનાદિ સ સાર નથી માનતી, તે કહે છે કે “ચેતન પુરુષને જ્યારે દિક્ષા થાય, પ્રકૃતિના કાર્યની દર્શનેચ્છા થાય, ત્યાર પછી સંસાર શરૂ થાય છે. અર્થાત્ અનાદિ “અબદ્ધઆત્માને દિક્ષા થાય છે; બદ્ધમુક્તને નહિ તેથી ફરી સંસાર નહિ
દિક્ષા એટલે સત્વ-રજ-તમસુ ત્રિગુણાત્મક પ્રકૃતિને વિકાર જોવાની ઈચ્છા પ્રકૃતિ એ જડ જગતનું મૂળ કારણ છે તે જોવાની ઈચ્છામાથી આત્મા બંધાઈને સંસાર જન્મે છે - અસલ તે પ્રકૃતિ જ બંધાય છે. પરંતુ પ્રકૃતિમાંથી નીપજતું મહત્તત્ત્વ સ્ફટિકદર્પણ જેવું નિર્મળ હોવાથી તેમાં પુરુષ જુએ છે, અને તેમાં પડતા પિતાના પ્રતિબિંબ સાથે ભાયમાન જે પ્રકૃતિના બદ્ધત્વ-કતૃત્વ-જ્ઞાતૃત્વાદિ ધર્મો, એને આત્મા પિતાના માની લે છે, તેથી અનેક ભરૂપી સ સારના સર્જન થાય છે. એમાં વિવેકખ્યાતિ ભેદજ્ઞાન થાય કે “હું પ્રકૃતિ નહિ. પ્રકૃનિથી જુદે, સદા અબદ્ધ અકર્તા ચેતન પુરુષ,” ત્યાર પછી ક્રમશઃ આના