________________
૨૫૩ કાળ–અવસર મળે છે ? અને આ મહા કિંમતી કાળને ઉચિત શું કર્તવ્ય છે? મારી પૂર્વ સ્થિતિમાં અનંતા પુગલ-પરાવર્તના જંગી કાળ અનંતા જન્મ-મરણ કરી અનંત શરીરનાં પરાવર્તન. કરવામાં ગયા ! જ્યારે, આ કાળ તેવાં પરાવર્તન ફરી ન કરવા. પડે એવી સ્થિતિ ઊભી કરવા માટે સમર્થ મળે છે! છતાં આ કાળને હું કે ઉપયોગ કરી રહ્યો છું ! મારે શું અજ્ઞાનમાં, મોહ– વાસનામાં, ને સંસારના વિકટ પંથમાં હજી પણ મારા આત્માને રખડાવવાનો ? ભાન નથી કે એવી કાળના આવર્ત ઓછા થાય છે કે વધે છે ? ” આને વિચાર કરવા પૂછે અંતરાત્માને શું કહે છે? “આ જીવનમાં જે જે વિચાર–વાણી–વર્તનના અભ્યાસ કર્યા, તે શું આ ખાસ માનવ-જીવનના વિશિષ્ટ કાળમાં ઉચિત છે? બીજી ગતિના કાળમાં શું એ નહેાતું બની શકતું ? આ કાળનું મહામૂલ્ય કેટલું બધું? અને એનું અવમૂલ્ય હું કેટલું બધું કરી રહ્યો છું ? અહીં પ્રાસ કેવા સુંદર પ્રકાશના પંથને અવગણ કેટલી ઘોર અંધારી અજ્ઞાનની ખીણમાં ઊતરી રહ્યો છું ?”
વિચારવા જેવું છે કે ઉત્તમ માનવકાળનો કે અધમ ઉપરોગ થઈ રહ્યો છે ? આજના યુગમાં સવારે જાગ્યા ત્યાં મહારાગદ્વેષકારક વિકથાઓથી ભરચક-ભર્યા દૈનિક પિપર જેવા સુઝે છે ! બજારભાવ, સિનેમા, વગેરેના સમાચાર જોઈ મન પર જડ ચાની લાથ ઉપાડવી ગમે છે! આહાર–પરિગ્રહ–સંજ્ઞા સવારથી માંડી કૂદાકૂદ કરે છે ! ઈદ્રિય-વિષાની જ ગડમથલનું તો પૂછવું જ શું ! રેડિયાના પ્રોગ્રામના કે બીજા ત્રીજા આવાને આવા જ આચરણ–વાણી–વિચારેથી દિવસ રાત પૂરા ! આ બધું શું કર્યું? મેહ વધાર્યો કે ઘટાડ્યો ? સંસારભ્રમણ વર્ધક પ્રવૃત્તિ