________________
ર૭૨
એમજ નથી જાગે; એ તો પરમાત્માનું નિમિત્ત પામીને જ પિતાને થયે છે; ને હજી પણ થશે, માટે અહીં ભગવાનના પ્રભાવે પ્રાપ્ત થયાનું ઈછ્યું.
सूत्रः-सुप्पणिहाणमेव चितिजा पुणो पुणो । एअधम्मजुत्ताणमधवायकारी सिआ। पहाण मोहच्छेअणमेकं । एवं विसुज्झमाणभावणाए कम्मापगमेणं उवेड एसस्स जुग्गयं । तहा संसार-विरत्ते संविग्गो भवइ अममे, अपरोवतावी, विसुध्धे, विसुद्धमाणभावे । इति साहुधम्मपरिभावणासुत्तं समत्त ।
અર્થ સારા પ્રણિધાન સાથે આ પ્રમાણે વારંવાર ચિંતવે, આ (સાધુ) ધર્મયુક્ત આત્માઓને પગે પડતે રહે. મુખ્યપણે મોહનો છેદ કરનાર એ છે એ પ્રમાણે વિશુદ્ધ બનતી ભાવનાથી કર્મને નાશ થવા દ્વારા (આત્મા) એ ધર્મની યોગ્યતા પામે છે; તથા સંસારથી વિરક્ત, સંવેગ (ધર્મરંગ)વાળે, નિર્મમ, બીજાને સંતાપ ન પમાડનાર, નિર્મળ, અને વિશુદ્ધ થયે જતા ભાવવાળા બને છે. આ પ્રમાણે સાધુધર્મની પરિભાવનાનું સૂત્ર પૂર્ણ થયું. વિવેચનઃ ઉપસંહારઃ સાધુસેવકઃ ભાવવિશુદ્ધિઃ
હવે ઉપસંહાર કરતાં, જે પૂર્વે, (૧) ધર્મજાગરિકામાં “આ કર્યો અવસર ! એને એગ્ય શું? વિષયે અસાર, મૃત્યુ ભયંકર અને સાધુધર્મ એનું ઔષધ વગેરે ચિંતવવાનું કહી શ્રી. અરિહંતાદિને નમસ્કાર કર્યા બાદ, (૨) અરિહંતપ્રભુના પ્રભાવે સાધુધર્મ સ્વીકારવાની તીવ્ર આશંસા ચિતવી, એના માટે હવે સૂત્રકાર કહે છે કે ખૂબ તીવ્ર પ્રણિધાન યાને વિશુદ્ધ ભાવનાથી ગર્ભિત મનની ચેટ સાથે આ બધું વારંવાર ચિતવ્યા કરવું