________________
૨૯૦
[ પંચસૂત્ર-૩ ભાવ ફરે છે, ઘડીમાં હર્ષ, ઘીમાં બેદ! એમ રાગાદિ ફરે.
(૩) સંસારે સુખી અસુખી – એથી અહીંને સુખી પણ પરમાર્થથી સુખી નથી. કેમકે એ સુખ દુઃખરૂપ છે, તથા સુખપર્યાય ચંચળ છે. અર્થાત્ એ સુખ (૧) વર્તમાનમાં ઉત્સુકતા ભર્યું, ચિંતાભર્યું તથા અનેકની અપેક્ષા રાખતું હોવાથી દુઃખરૂપ જ છે, અને (૨) પરિણામે પાપકર્મ ઉદય પામતાં સુખ અવશ્ય નાશ પામી દુઃખ ઊભું થનારું છે. અહીં પણ દેખાય છે કે આરોગ્ય મટી પગ થાય છે, કમાઈ મટી ખોટ આવે છે,
હી મટી વિરોધી થાય છે. બીજો ભાઈ કે બેન જન્મતાં માબાપનો પ્રેમ ઘટે છે. પરણ્યા પછી પત્નીનો પ્રેમ ઘટતો આવે છે. સંતાન થતાં ચિંતાઓ વધે છે, એ માંદા પડતાં દુઃખ થાવ છે. બીજી પણ પાડેશી, વેપાર, વહેવાર વગેરે તરફથી અનેક વિંટબણાઓ આવે છે....વગેરે કેટલી ય આપદા અહીં; ત્યારે પરલોકમાં વળી અહીંના ને પૂર્વના બાધેલા અશુભ કર્મોના ઉદયે કેટલાંય દુઃખ ઊભા થાય છે. (૩) વળી રગડા-ઝગડામાં, કે બીજાના સુખ વધુ દેખી બળવામાં દુઃખ થાય છે. ત્યારે (૪ માથે મૃત્યુ હોવાથી ય સુખ દુઃખરૂપે છે. જેમ કેાઈ કેદીને ફાંસીની સજા ફરમાવેલી હોય, એના પંદર દિવસ બાકી હોય, અને તેને કહેવામાં આવે કે, “તું તારે માલ મિષ્ટાન્ન ખા, સંગીત સાંભળ. બગીચામાં ફેર, બધી જ કર,” પણ ફાંસીની કલ્પનામાં તે બિચારે ક્યાંથી હેશ પણ એજ અનુભવે? તેમ જીવ જન્મે એટલે અસુક યુદત પછીની મૃત્યુની ફાંસી ફરમાવાદ ગઈ. હવે કેદીને તો પંદર દિવસ પછીની નિશ્ચિત મુદત ખબર છે, પરંતુ સંસારને તો મૃત્યુ ક્યારે પકડશે તે નિશ્ચિત જ