________________
૨૮૮
[પંચસૂત્રછે, માટે અવ્યાબાધ સ્થિતિ છે. જ્યાં કિયા છે ત્યાં જ અનેક બાધા (પીડા) નડે છે.
આવો મોક્ષ કેટલો બધો ઈષ્ટ બને! જીવને બીજું જોઈએ પણ શું છે? આવું બધું તે એને બહુ ગમે છે. સર્વ વાતની જાણકારી એને પસંદ, સ્વાધીનતા જ એને ગમે; બધું મનમાન્યું બરાબર હોય; તે એને ગુસ્સે, રેફ, માયા વગેરે કરવા જરૂર નથી; તદ્દન નિરુપદ્રવ સ્થિતિને એ અહર્નિશ ચાહક; એને બેઠા હોય ત્યાંથી ઊઠવુ ન ગમે, અર્થાત્ શકય હોય ત્યાં સુધી કિયાને પરિશ્રમ ન હોય તો ઠીક લાગે અને આ બધા ઉપરાંત સંપૂર્ણ અને સ્વાધીન, તથા એકાંત અને અનંત સુખને તે રસિ. બસ, આ બધું મોક્ષમાં જ છે. માટે હે તાત ! આવા મેક્ષ માટે આખા સંસારમાં એક જ ઉપયોગી એવા ઉચ્ચ માનવભવના આ મળેલા અવસરને નિષ્ફળ ન જવા દે, સફળ કરે. અન્યથા કિનારે સામે છતાં, પાછું સંસારસાગરમાં ઘસડાઈ ડૂબવા જમવાનું રહેશે.” દીક્ષાર્થીની કેવી સુંદર સમજાવટ
હનુમાનજી વિદ્યાધર રાજા હતા, વિદ્યાના બળે મેરુ ઉપર યાત્રાએ ગયેલા, લાખ જેજન ઊંચા મેરુ પરથી પાછા નીચે ઉતરતાં નીચેથી ઉપર ૮૦૦-૯૦૦ જજન વચમાં રહેલા સૂર્યના. પ્રકાશને નીચે નીચે ક્ષેત્રમાં મધ્યાહ્ન, સાજ, અસ્ત, સંધ્યા વગેરે જુદા જુદા સ્વરૂપે જેયા. વિચારે છે, “અહે! જીવન પણ જોતજોતામાં યુવાની, પ્રૌઢતા, વૃદ્ધપણું, યાવત્ અંતકાળમાં પલ્ટાતું છે. તે કેમ ગફલતમાં બેઠો છું? ક્યાં સુધી આવા જન્મ-મરણાદિમાં અથડાયા કરવાનું? મોક્ષ માટે યત્ન કરું જેથી અહીં છૂટી કાયમ માટે અજર અમર સ્થિતિ પામું.' તરત વૈરાગ્યથી ચારિત્ર લીધું સર્વે કર્મ ક્ષય કરી મોક્ષે સિધાવ્યા.