________________
૨૮૬
[પંચસૂત્ર-૩ તો ઘણી જ કરી, પણ એથી જીવની કાંઈ સિદ્ધિ થઈ નહિ. નહિતર હજી સુધી આપણે મોક્ષને બદલે સંસારમાં કેમ હોત? અરે ! મોક્ષની નિકટતાય કેમ ન દેખાય? જીવને પ્રાપ્ત કરવા રોગ્ય સિદ્ધિ જ છે; કેમકે સિદ્ધિમાં જન્મ, જરા, મૃત્યુ વગેરે કાંઈ પીડા જ નહિ.” આ વાત સૂત્રકાર કહે છે, ન ઈમીએ જમે, ન જા.
પ્રવ – મોક્ષમાં શું સુખ? જયાં જેનું ખાવાનું નહિ, પીવાનું નહિ, વાડી –બંગલા માલ મિલકત નહિ, એશઆરામ નહિ, પ્રેમાળ સ્નેહી કુટુંબ નહિ, તેથી શું લાભ ? શું સુખ? શેિ આનંદ?
ઉ૦ – બીજા અનેક ત્રાસની વાત તો શી કરવી? પરંતુ એક મૃત્યુની માત્ર આગાહી જે કેાઈ વૈદ કે જોષી કરે, તે પણ તે જીવને ડગલે ને પગલે અકળાવી નાખે છે, તે જ્યાં કદિ મૃત્યુ જ નથી ત્યાં કેટલી શાંતિ ? જન્મનો ત્રાસ તમને ગમે છે ? ઈષ્ટની ઈચ્છા થઈ, અને તે મળે નહિ, કે મળેલું દૂર ભાગે તો ખેદ થાય છે? અનિષ્ટ આવી પડે તે મુંઝાઓ છે ? ભૂખતરસથી વારંવાર પીડાઓ છે? પરાધીનતાનું દુઃખ લાગે છે? આધિ, વ્યાધિ, વૃદ્ધપણું નથી ગમતા ને? તો આ બધું જ્યાં નથી તે મોક્ષનું કેવું અને કેટલું અનુપમ સુખ! ત્યાં શરીરમાં કેદ પુરાવારૂપ જન્મ જ નથી, એટલે પ્રાણનાશરૂપ મૃત્યુ પણ નથી, વયની હાનિરૂપ ઘડપણે ય નથી. ઈષ્ટને વિગ નથી, કારણ કે ત્યાં અનંત સુખ શાશ્વત છે. વળી ઈછાનું કે રાગનું નામ નથી એટલે ઈટ શું? તેમજ શરીર-ઈન્દ્રિય-મન નથી તેથી અનિષ્ટ ચ કાંઈ જ નથી. અનુભવ છે કે અનિષ્ટ બધું શરીર–ઈન્દ્રિય