________________
પ્રવજ્યા ગ્રહણવિધિ ]
૨૮૩ તિયશ પંચેન્દ્રિય તથા વિગલેન્દ્રિયના ભાવમાં ચાલી ગયેલાને એવા ભની પરંપરામાં પડવું પડે છે, ત્યાં મનુષ્યભવ શી. રીતે સુલભ બને?
દુર્ગતિના એ ભલે કેવા? બહુલતયા દુઃખભર્યા, મોટા ભાગે દુઃખદ અશાતા વેદનીય ભેગવતા, અને મેહરૂપી કારમાં અંધકારવાળા! અર્થાત્ તીવ્ર મહદયવાળા, તથા સહેજે અસત ચેષ્ટા કરાવનાર હોવાથી અકુશલકર્મના અનુબંધવાળા તે બે હોય છે. ત્યાં મહાહનું ઘોર અંધારૂં! બુદ્ધિ, વિવેક, વિનય, પવિત્રતાદિ જે અહીં સુલભ, તેનું ત્યા નામનિશાન નહિ. દુઃખને નિવારવાના ઉપાયે પણ ત્યાં ન મળે. ત્યાં દુઃખ ઉપર દુઃખ છે. તેમ શુદ્ધ ધર્મની પ્રાપ્તિ પણ નહિ. માત્ર દુ ખ અને મેહની કારમી ઘેરામણ! એથી જ એ ભ શુદ્ધ ધર્મ (ચારિત્ર-ધર્મ) માટે અગ્ય ભો. એગ્ય ભવ તે મનુષ્યને જ.
માનવભવ એ જહાજ –ભવસાગરથી તારનાર હોવાથી, જહાજ સમાન આ મનુષ્યભવ જ છે. દેવોને પણ મોક્ષ પ્રાપ્ત કરવા માટે મનુષ્યભવ પામવું જ પડે છે, તેથી મોક્ષની ઈચ્છાએ દેવતાઈ સ્થિતિમાથી તેઓ મનુષ્યપણાની સ્થિતિમાં આવવાની ઝંખના કરે છે. શા સારુ ? સંસારમાં મહાલવા નહિ, સંસારને સર્વથા ત્યાગ કરવા. ધર્મથી કર્મ પર સંપૂર્ણ વિજય પ્રાપ્ત કરવાનું મનુષ્યભવમાં જ થઈ શકે છે. એથી જ ધર્મ જ માનવ–કર્તવ્ય છે એ કર્તવ્યમાં જ જીવન જવું એ એગ્ય છે. પણ તે કેવી રીતે જવું? માનવભવ એ સંસારથી તરવાનું જહાજ છે. પરંતુ એમાં પડેલા આશ્રવના, અર્થાત્ હિંસાદિની અવિરતિ, ક્રોધાદિ કષાયે, વગેરેના કાણાને સંવરથી અર્થાત વિરતિ,