________________
આત્મન ! અહીં તારી ગમે તેટલી હોશિયારી હશે, તારું ગમે. તેટલું માન હશે, તારા એક શબ્દ પાછળ હજાર લાખ માણસ પ્રાણ આપવા સુધી ય તૈિયાર થતા હશે, પણ જ્યારે મૃત્યુ આવશે ત્યારે એ મૃત્યુને રોકવા એમાંનું કાંઈ જ કામ નહિ આવે. ચકવતિ, ઈન્દ્ર કે અનંતબળી પરમાત્માની પણ કોઈ તાકાત મૃત્યુને રોકવા સમર્થ નથી. મૃત્યુ તારી અત્યંત કાકલુદીભરી પણ વિનંતિ નહિ સાંભળે, તારા માનની કે તારી ઋદ્ધિ-સિદ્ધિની મૃત્યુને કઈ જ પરવા નથી. તે તે તને આ દેહરૂપી ભૂમિ પરથી ટેકાની જેમ ડેકરે ઉડાવશે. કેમકે (૪) એ અનિવારણીય છે. – રોકાય નહિ એવું છે. મૃત્યુ આવે ત્યારે તે તેને જે કહીશ કે
ભાઈ ! જરા થોભી જા ભી; મેં જિંદગીમાં ધન-ધાન્યાદિ કમાવવા તે બહુ બહુ કર્યું તેથી તે પુણ્ય વટાવાઈ ગયું), પણ, મેં દાન-પુણ્ય કર્યું નથી, અને અધર્મો બહુ જ કર્યો છે. કુટું બની જંજાળમાં, ધનની લોલુપતમાં, વિષયોના મોહમાં હું બહુ લટાયે; આ બધાથી તો આત્મામાં માત્ર પાયના ગંજ ખડકાયા; હવે તું ફક્ત જરા થોભી જા; તે હું દાન દઈ દઉં, ધર્મ કરી લઉં,” આવું કહીશ ત્યારે મૃત્યુ જાણે ખડખડાટ હશે! તે તને ભયંકર લાગશે, તું ભલે થરથર કંપીશ, તો ય તે તારી મૂર્ખતા ઉપર અને તારી પામરતા ઉપર જાણે વધુ હસીને તને કયાંય અંધારામાં ઉપડી જશે !” (૫) મગૃ પુણે પુણેપણુબંધી” આવું મૃત્યુ પાછું એક જ વખત આવતું નથી, પણ ફરી ફરી તેની આવૃત્તિ થાય છે. એનું કારણ એ છે કે મૃત્યુ થતાં ભલે આ જીવનથી. મર્યો તે ખરા, પરંતુ કર્મ નથી મર્યા, અને કર્મ ઊભાં છે તેથી જન્મ થવાને જ, જ્યાં જન્મ થયે કે મૃત્યુ નક્કી થયું જ. રાગઠેષ અને મન-વચન-કાયાની પ્રવૃત્તિ છે, ત્યાં સુધી કર્મ અને
જે ઘર બહ એ જ છે