________________
૨૧૯
આજ્ઞાની પરાધીનતા સ્વીકારી, એટલે તો એ કર્મથી પૂર્ણ સ્વતંત્ર થવાના દ્વાર ખુલ્લા કરે છે. હવે કલ્યાણમિત્રની કલ્યાણ આજ્ઞા ઉપર તે એટલો બધો મોહિત થઈ ગયો છે કે જેથી પ્રતિપક્ષી મોહની તાકાત નથી કે તેને પોતાની તરફ જરા પણ આકષી શકે, ભરમાવી શકે, કે પડછાચે સરખે પણ આના પર નાખી શકે. મોહ એને મૂઢ બનાવે એ દિવસે ગયા. ૯) ધર્મગુણગ્ય ગૃહસ્થાચાર-ક્રિયા
सूत्र-पडिवन्नधम्मगुणारिहं च बट्टिजा, गिहिसमुचिएसु गिहिसमाचारेसु, परिसुद्धाणुहाणे, परिसुद्धमणकिरिए, परिसुद्धवयकिरिए, परिसुद्धकायकिरिए।
અર્થ – સ્વીકૃત ધર્મગુને ચગ્ય વર્તન કરવું. (કયાં?) ગૃહસ્થના આચારમાં, શુદ્ધ કિયામાં, શુદ્ધ મનની ક્રિયામાં, શુદ્ધ વચનની ક્રિયામાં, શુદ્ધ કાયાની ક્રિયામાં.
વિવેચન – ધર્મગુણેના સમર્થકકલ્યાણમિત્રની સેવાદિની સાથે, ધર્મગુણોને છાજતું મન, વચન, કાયાનું વર્તન પણ જોઈએ વિશેષ એગ્ય પ્રવૃત્તિ તો પછી, પણ સામાન્યથી ય વર્તન પણ ધમીને શેભે તેવું જોઈએ. ગૃહસ્થને ચગ્ય ભિન્ન ભિન્ન પ્રકારના આચાર-વ્યવહારોને વિષે સામાન્યથી વિશુદ્ધ આચરણવાલા તે બનવું જ જોઈએ. એ માટે શાસ્ત્ર જે આચાર, વિચાર અને વાણીની શુદ્ધાશુદ્ધતા કહી છે, તે સમજી લઈને શાત્રે ફરમાવ્યા મુજબની માનસિક ક્રિયા એટલે કે વિશુદ્ધ વિચારસરણી રાખવી જરૂરી છે. એ વિચારધારા એવી જોઈએ કે જેમા માયાશલ્ય, નિદાનશલ્ય વગેરેનાં મિશ્રણ ન હોય; રસ-ઋદ્ધિ-શીતાગારવને સંચાર ન