________________
૨૦૧
માટે કરે છે; એ પાપમાં સમતિ આપી એને વધાવી લેનારા હોય છે. દા. ત. આજે પૈસા ઘણા છે તો તે કહેશે કે “બીજી પેઢી લે. બંગલા મોટર વગેરે વસાવો, ધંધે ગમે તે કરે પણ પિસા ભેગા કરો. કસર ન કરતા, સારી રીતે ખાઓ, પીઓ, ભેગો આવી પાપવૃદ્ધિની જ સલાહ આપે છે. કલેશ-કલહ, અહંકાર-દંભપ્રપંચ, વિલાસ-દુરાચાર, અસત્યઅનીતિવગેરેની સલાહ અકલ્યાણમિત્રો આપતા રહે છે, એમાં સહાય પણ કરે છે. કેમકે એમા એમને રસ છે. આવા માણસોને “દાન કરે, ત્યાગ-તપ કરે, અહિંસાદિ વ્રતો લે, સદાચારો પાળે, ધર્મશ્રવણ કરે, દેવ-ગુરુ-સેવા કરે, વડિલ જનોની આમન્યા રાખે, શાસ્ત્ર ભણે, શાસન-પ્રભાવના કરે, સાત ક્ષેત્રની ભક્તિ કરો.” આવી આવી સલાહ–ઉપદેશ આપવાનું ક્યાંથી આવડે? એ તે પિતાના અધમ રસ, પિતાના તુચ્છ સ્વાર્થ અને પિતાના પૌગલિક આદર્શ મુજબ જ બીજાને દોરવાના. એવા અકલ્યાશુમિત્રના સંગમાં ફસાયા કે મર્યા! ધર્મના એ લૂંટારા છે
મહાવીર પ્રભુના જીવ મરીચિને દુરાગ્રહી કપિલ રાજકુમાર અકલ્યાણમિત્રને એગ થા મરીચિએ એને રાજી કરવા સંન્યાસી પરિવ્રાજકપણામાં પણ શુદ્ધ ધર્મ હોવાનું” ઉસૂત્ર ભાષણ કર્યું. આમ મરીચિ નવા પ્રાપ્ત થયેલ સમ્યગ્દર્શન ગુણની દુર્લભતા અને મહત્વ ભૂલ્યા, અનાદિ-સિદ્ધ મિથ્યાત્વને જાગતું કર્યું, અને એથી એમને એક કેડાછેડી સાગરોપમ વર્ષ–પ્રમાણ સંસાર–વૃદ્ધિ થઈ! અકલ્યાણમિત્ર કપિલ વળી શિષ્ય બન્યા પછી પણ આ મિથ્યાત્વ ના એ સહાયક બન્યું હશે કે મરીચિએ એ દેશના પશ્ચાત્તાપ કે પ્રાયશ્ચિત ન કરવાથી એ પછીના ભવોના ભવે