________________
પર માનમર્ત, આબરૂ–સત્તા વગેરે પૂરસ્તી છે? કે “ધર્મધન નહિ મળે તે ? ધર્મ મળેલો લૂંટાઈ જશે તે ?” એ પણ ભય છે? “કાયાના મેહમાં તપ ગુમાવીશ તો? રસનાના કેસમાં ત્યાગ કરવાનું ચૂકીશ તે ? દાનમાં વિદન આવશે તે ? ધર્મ નથી સાધતો અને આયુષ્ય પૂર્ણ થશે અગર રોગ આવશે તે?' આ ભય નથી. અનાદિની ભયસંજ્ઞા સામાયિક, પ્રતિક્રમણ પ્રભુભક્તિ, દાન–શીલ–તપ–ભાવ, ક્ષમાદિ ગુણે, વ્રત-પચ્ચખાણ, કર્મક્ષય વગેરે ન સધાય ત્યાં ભય નહિઊલટું “એ બધું સાધવા જાઉં, અને કાયા ઓગળી જાય, ધન ઓછું થઈ જાય, ટાઈમ બગડે, વેપારમાં વાધ આવે, વ્યવહાર ઘવાય તો શું થાય ?.....” એ ભય ખરે. અહે, જીવની કેવી દુર્દશા ! અરે ! કદાચ ધર્માનુષ્ઠાન કરશે તે પણ બીજા-ત્રીજા ભયથી ચિત્ત સ્થિર નહિ રાખી શકે. ભય તે કેવા? તુચ્છ બાબતોના ! એ સારી પ્રવૃત્તિને ડહોળી નાખે છે. ભય ભારે પંધેલો છે !
સાધુ પણ સાધવાની જાગૃતિ ન રાખે તે ભય એમને ય છેડતો નથી; કેમકે ઈન્દ્રિયે ડાકુ છે. મન ચોર છે. નાગણ જેવી કુવાસનાના ચેકબંધ હુમલા છે. વિષને દુશ્મન–શેરો છે. વિષયની છાયાને, આગમનને, એનાં સંપર્કને ભય થવો જોઈએ. જેટલો ભય મોહની સામગ્રી લૂંટાઈ જવામાં થાય છે, તેટલે આત્મહિતની પ્રવૃત્તિ કે વિચારણા લૂંટાઈ જાય તેમાં નથી! કેવી કારમી દશા? મુક્તિનું પહેલું પગથિયુ મોક્ષરુચિવાળી અવસ્થા છે. જ્યાં સુધી દુન્યવી ભથી ભવાભિનંદિતા જીવતી રહે ત્યાં સુધી તે આવે નહિ.
છઠો ગુણ શકતા– એમાં વાતે વાતે માયા રાખે;