________________
૧૭૭
તે ઉત્તરોત્તર ભવમાં એ વ્રતોને વાર પ્રાપ્ત અને વિકસિત થતો ગયે.
(૪) પરોપકારિતા-ચિંતન -પરોપકારિતા બે રીતે ચિંતવવી. અહિંસા સત્ય વગેરે ગુણો સાચા પરોપકારી પણ છે. () એક તો અહિંસાદિ ગુણો એ જીવને બીજાને પીડા કરવામાંથી પાછા હટાવનાર અને બીજાને ઉપકાર કરાવનારા બને છે; અને (i) બીજી રીતે પરોપકારી એટલે કે, સ્વાત્યાને “પર” યાને શ્રેષ્ઠ ઉપકાર કરે છે–દુર્ગતિને બંધ કરીને સદ્ગતિના દ્વાર ખેલી આત્માને શાતા, યશ, ઊંચ ગોત્ર વગેરેને ભાગી કરે છે 6 કમારપાળ મહારાજાના અહિંસા વતે અઢાર દેશમાં અ–મારિ ફેલાવી લાખ જીને અભયદાન બક્ષ્ય ! એક વખતના ક્રૂર—ઘાતકી–હિંસક
અકબર બાર્દશાહને આચાર્ય શ્રી વિજયહીરસૂરિજી મહારાજના ઉપદેશથી અહિંસાધર્મ મળે, ને એણે સકલ રાજ્યવ્યાપી જીવદયા, જજિયાવે ત્યાગ, વગેરે મહાન પરોપકાર પ્રવર્તાવ્યો !
ધન જયશેઠ પાસે, નીલુ શેઠે અમુક હીરાના હારની માગ કરી. ધનંજય કહે “હાર તા રૂ. ૨૦) હજારનો છે પણ વેચવાને નથી.” પેલે કહે રૂ. ૫૦) હજાર થાપણ મૂકું છું, તો અમુક વખત માટે આપે. પાછો ન આપી જઉં તો મારી બધી થાપણ જાય. એ રીતે લખાણું લઈને હાર આપે. નીલુ શેઠે પરદેશ જઈ રાજાને બીજુ ઝવેરાત બતાવ્યું. પણ રાણીએ એના ગળામાં આ હાર જોઈ એની માગણી કરી. આ કહે “એ નથી વેચવાનો.” પણ કિંમત તે કહો. “કિંમત રૂ. સવા લાખની છે.” રાજા કહે ના, રૂ. પ૦) હજાર લે અને આપ.” નીલુ શેઠ “ન મળે” કહીને ગયો. પણ રાણીએ ખાનગીમાં રૂ. સવા લાખ અપાવી હાર મેળવ્યું.
૧૨