________________
૧૩૪ એ પણ ખરું કે ધર્મનું આવું સ્વરૂપ હોવાથી જ ધર્મને શરણે જનારે (૧) ધર્મ સેવતાં કે વિષયાશંસા કે માનાકાંક્ષા ન રાખે, કેમકે એ આશંસા તે રાગ વિષને પિષનારી છે, (૨) વળી જે બીજાઓની ધર્મ પ્રવૃત્તિમાં અંદરખાને ધર્મવૃત્તિને બદલે રાગનાં તાંડવ જુએ તે તેમાં એ ભળે નહિ, એમાં એનું દિલ ઠરે નહિ, તેમજ (૩) સાંસારિક પ્રવૃત્તિમાં રાગદ્વેષના તોફાનમાં પિતે સપડાતું હોય ત્યાં પણ એમ થાય કે “અરે! આ મહામંત્રસમે શુદ્ધ ધર્મ મારી પાસે છતાં હજી રાગદ્વેષના ઝેર આત્મામાં ઘાલી રહ્યો છું ? એ કેવું મારું દુર્ભાગ્ય ! કયારે આ શરણને સ્વીકાર મને શુદ્ધ ધર્મની સ્પર્શના કરાવી રાગદ્વેષથી બચાવી લે !”
વળી આ ધર્મ સર્વજ્ઞ ભગવાનને કહેલે હાઈ, 9 “હે સયલ કલાણુણું, દેવ-મનુષ્યની સારી ગતિ, યશ અને શાતા વગેરે ચાવતું મેક્ષ સુધીના સકલ કલ્યાણનું સચોટ સાધન છે. આ વિશેષણ સૂચવે છે કે અધર્મ એટલે કે હિંસા, જૂઠ, ચોરી, અબ્રા, પરિગ્રહ વિગેરે, તથા ક્રોધાદિ કષાયે, મિથ્યાત્વ, અને કુશાસ્ત્રો ઈત્યાદિ, એ કલ્યાણનાં સાધન નથી. કદાચિત અજ્ઞાનવશ એમાંનાં કેઈનું આલંબન લીધું હોય, તે પણ એને કલ્યાણના ને સુખનાં સાધન (કારણ) તરીકે હરગીજ ન મનાય. કલ્યાણ અને સુખનું સાધન તે ધર્મજ. આ શ્રદ્ધાથી જ ધર્મનું શરણ સફળ થાય. જેમ સાચા વિઘને “હું તમારે શરણે છું” એમ કહેનારા દરદી માને છે કે બીજા બેટા વૈદ્ય તથા તદુક્ત દેષપષક વસ્તુ આરોગ્યના હિતકારક નથી, બલકે હિતનાં ઘાતક છે, (અવરોધક છે,) તેવી રીતે જેમ કેઈ મોટા માણસને શરણે ગયેલે દુઃખી દરિદ્ર સમજે છે કે આમનાથી જ મારી દરિદ્રતા ને બીજા દુખે ટળશે;