________________
૧૪૮
સૂત્રો છે જે હિં સંકો, ર જે ઘા સુપ होउ मे ईत्थ वहुमाया, हाउ मे इओ मुकखवी ति॥ ઉપરના બે, એટલે કે (૧) પૂર્વના દુકૃતની ગહ અને (૨) ભવિષ્યના દુષ્કૃતનો અકરણ નિયમ–આ બે, અથવા (૧) ચતુર શરણગમન અને (૨) દુષ્કતગર્તા–આ બે, મન બહુ જ ચે છે. એટલા માટે હું ત્રિલોકનાથ શ્રી અરિહંત ભગવાનનુ અને કલ્યાણમિત્ર ગુરુદેવનું મારા પર નિયમન અને હિતશિક્ષાને ઈચ્છું છું. કેમકે એમની દેરવણું અને હિતશિક્ષા એ, ચાર શરણને સ્વીકારને તથા દુષ્કૃત–ગને ઉપર કહેલો જે વિસ્તાર તેની સાધનામાં બીજભૂત છે. અહીં ગુરુ સાક્ષાત્ ઉપકારી છતાં પહેલાં દેવની અને પછી ગુરુની હિતશિક્ષા કેમ ઈચ્છી? એનું કારણ એ કે તત્ત્વને અંગીકાર કરનાર આત્માઓએ મૂળ ઉપદેશક અને અધિક ગુણ પરમાત્મા તરફ પહેલાં પ્રવર્તવું એ ઉચિત છે. વળી દુકૃતગર્તા ઉપરાંત અનુશાસ્તિ જ કેમ ઈચ્છી? કહે એટલા માટે કે તત્ત્વનુસારી માણસે અધિક ગુણે માટે અને અધિક ગુણી તક ઝૂકતા વલણ માટે પ્રયત્ન કરવો જોઈએ. આ કરાય તો જ તત્ત્વ સ્વીકાર્યું એ સાચું ગણાય. આ એક પ્રણિધિ (કર્તવ્ય નિશ્ચય) છે, કે “હું અરિહંત પ્રભુની અને ગુરુની અનુશાસ્તિ ઇચ્છું છું.'
વળી પ્રણિધાન એ છે કે-હાઉ મે એએહિં....”
અર્થ-વિવેચનઃ “એ ત્રિલોકનાથ શ્રી અરિહંતદેવ અને કલ્યાણમિત્ર સદ્ગુરુઓનો મને ઉચિત સમ્યગ (ભક્તિ બહુમાન સહિતન) નિશ્ચયવાળે સમાગમ હે; શાસક–શિષ્ય-ભાવને સ્વામિસેવક–ભાવના, અને કલ્યાણદાતા–કલ્યાણઅર્થિંભાવને યોગ હા, એમના પ્રત્યે સમર્પિત ભાવવાળે સમાગમ મને પ્રાપ્ત થાઓ,