________________
૧૬૯
तहा आसगलिज्जति परिपोसिजति निम्मविज्जति सुहकम्माणुबंधा । साणुवन्धं च सुहकम्म पगिहें पगिहभावज्जिअं नियमफलयं सुपउत्ते विअ महागए सुहफले सिआ, सुहपवत्तगे सिआ, परमसुह साहगे सिआ । સામર્થ્ય નાશ પામી જાય છે. જેમ મંત્રના સામર્થ્યથી કટકબદ્ધ (સર્પદ ડસ્યાના ડંખની નજીક સ્થાનમાં દેરી વગેરેથી બંધાયેલ) વિષ બહુ થોડા ફળવાળું થાય, તેમ ચાર શરણ આદિના શુભ ભાવરૂપી મંત્રથી અહીં બાકીનું અશુભ કર્મરૂપી વિષ પણ અલ્પ કુળવિપાકવાળું બને છે તેથી સહેલાઈથી અને સંપૂર્ણપણે એ દૂર કરી શકાય એવું થાય છે, તેમજ તેવું બીજું પણ તેવી ઉત્કૃષ્ટ સ્થિતિવાળું, ફરી ન જન્મે તેવું થઈ જાય છે, અને એમ થવાથી પૂર્વકાળમાં જેમ ભગવ્યુ તેમ હવે ભવિષ્યકાળમાં અશુભ કર્મના મહા કટુ વિપાક જોગવવાના રહેતા નથી. ચાર શરણાદિ ત્રણ ઉપાયે અને પૂર્વોક્ત પ્રાર્થનાઓથી ઊભા થતા શુભ ભાવને. આ જબરદસ્ત લાભ સમજાય, તો એ રોજ ત્રિકાળ સેવાય.
અહીં એ પ્રમાણે નુકશાનું નિવારણ એ ફળ તરીકે કહ્યું. હવે સમ્યગુ ઉપાયોની સિદ્ધિસ્વરૂપ ફળને કહે છે.
અથ–વિવેચન –આ સૂત્ર અને તેના અર્થના પઠન વિગેરેથી શુભ કર્મના અનુબધે આત્મામાં ભરપૂર એકત્રિત થાય છે; વળી શુભ ભાવની વૃદ્ધિથી તે અનુબંધ પુષ્ટ થાય છે, અને પરાકાષ્ઠાએ પહોંચે છે. અહો ! કેવું મહિમાવંતુ આ પંચસૂત્ર ખરેખર, અનુબંધવાળું શુભ કર્મ એમાં રહેલા અત્યંત અનુબંધની અપેક્ષાએ ઉત્કૃષ્ટ (પ્રધાન) કોટિનું હોય છે, તેમજ તીવ્ર “શુભ અધ્યવસાયે એ ઉપાજેલું હાઈનિયમાં ઉત્તમ ફળને આપે છે. જેમકે કેઈ એકતે કલ્યાણકારી એવા ઉત્તમ ઔષધને સારી રીતે વિધિસર