________________
૧૩૨ सूत्र :-तहा सुरासुरमणुअपूइओ, मोहतिमिरंसुमाली, रागदोसविसपरममंतो, हेउ सयलकल्लाणाण, कम्मवणविहावसू, साहगो सिद्धभावस्स, केवलिपण्णतो धम्मो जावजीवं मे भगवं सरणं ।
અર્થ તથા સુર–અસુર–મનુષ્યથી પૂજિત, મેહરૂપી અંધકાર હટાવવા સૂર્યસમાન, રાગ-દ્વેષરૂપી વિષનો નાશક પરમ મંત્ર, સમસ્ત કલ્યાણેનું કારણ, કર્મવનદાહક અગ્નિ, સિદ્ધભાવ(મેક્ષ)ને સાધક, સર્વજ્ઞ ભગવાને પ્રરૂપેલ પ્રભાવક ધર્મ માટે જીવનભર શરણ છે.
આદર્શો, જીવન જીવવાની વસ્તુઓ તથા પદ્ધતિઓ, લાભ-અલાભના લેખાં, ભય-નિર્ભયતાની ગણતરીઓ, વગેરે જગત કરતાં વિલક્ષણ અને આ મહાત્માઓની હોય છે તેને અનુસરનારી જોઈએ.
(૪) હવે શું શરણું બતાવે છે. “તથા” એટલે એકલું સાધુનું શરણ સ્વીકારું છું એમ નહિ પરંતુ કેવલી ભગવંતે પ્રરૂપેલા શુદ્ધ ધર્મનું પણ હું શરણ સ્વીકારું છું. તે ધર્મ કે છે?
સુરાસુરમણુઅ–પુઈઓ,–“સૂર યાને જ્યોતિષ્ક અને વૈમાનિક દેથી, તથા “અસુરે” એટલે ભવનપતિ અને વ્યંતર દેથી, તેમ “મનુષ્ય” અર્થાત્ ગગનગામી વિદ્યાધરોથી પૂજાએલો છે. આ વિશેષણ એ શ્રદ્ધા કરાવે છે કે “જગતની ઋદ્ધિ, સમૃદ્ધિ વગેરેના આપનારા શેઠ, શાહુકાર, કે રાજા કરતાં આ ધર્મ મારે અધિક માન્ય છે; કેમકે, આ ધમ તે દેવને પણ માન્ય અને પૂજ્ય છે. આવા અતિ પૂજ્ય ઉચ્ચતમ ધર્મનું શરણું પામ્યાનું મને ગૌરવ છે. મારું અહોભાગ્ય છે કે મને આવા શુદ્ધ ધર્મને માનવા પૂજવાનું મળ્યું!” વળી મેહતિમિરંસુમાલી આ ધર્મ