________________
૧૩૮
सुहमं वा वायरं वा, मणेण वा, वायाए वा, कारण वा, कयं वा, काराविअं वा, अणुमोइ वा, रागेण वा दोसेण वा मोहेण वा, इत्थ वा जम्मे जम्मतरेसु वा, गरहिअभे, दुक्कडमेझं, उझिअन्बमेअं. विआणिों मए कल्लाणमित्तगुरुभगवंतवयणाओ। एक्मेअंति रोइअं सद्धाए । अरिहंतसिद्धसमक्खं गरहामि अहमिण दु कडमेअं, उझियव्वमेअं। इत्थ मिच्छा मि दुकर्ड, मिच्छा मि दुक्कडं, मिच्छा मि दुकडं.
હું અરિહંતાદિ ચારને શરણે ગયે થકે, તે અરિહંત પ્રભુ આદિ પ્રત્યે મેં સેવેલા દુષ્પકૃત્યની, હું ગહ-નિંદા-દુર્ગા કરું છું. તે આ રીતે આજ સુધીમાં શ્રી તીર્થકરદે, શ્રી સિદ્ધ પરમાત્માઓ, આચાર્ય ભગવંતો, ઉપાધ્યાય સાધુ કે સાધ્વીજી મહારાજાઓ પ્રત્યે, અથવા બીજા માનનીય પૂજનીય ધર્મના સ્થાને ( સાધમિકાદિ, જિનમંદિર-તીર્થાદિ, અને દયા-અહિંસાદિ) પ્રત્યે, તેમજ અનેક જન્મના માતાઓ, પિતાઓ, બધુ, (સગાં), મિત્રો કે ઉપકારી પ્રત્યે, અથવા સામાન્યથી સર્વ જીવો પ્રત્યે, તે મોક્ષમાર્ગ સમ્યગ્દર્શનાદિને વિષે રહેલા અથવા મિથ્યાત્વાદિમાં રહેલા સામાન્યથી કોઈપણ જીવ પ્રત્યે, અથવા મોક્ષમાર્ગરૂપ જ્ઞાનદર્શનચારિત્રના સાધનભૂત (ધર્મશાસ્ત્રાદિ) પ્રત્યે કે મોક્ષ સાધનામાં અનુપયોગી પ્રત્યે અથવા મોક્ષમાર્ગથી વિપરીત સાધનો પ્રત્યે જે કાઈ ખોટું આચર્યું હાય, (એટલે કે જે કાઈ અવિધિ ઉપયોગાદિ કર્યું હોય,–સંક્ષેપમાં) જે કાંઈ ન કરવા ચોગ્ય કે ન ઈચ્છવા જે કોઈ પાપ, ભવિષ્યમાં તેના વિપાકે પણ પાપ બંધાવે તેવું સૂક્ષ્મ કે સ્થૂલ પાપ, મનવચન-કાયાએ જાતે (વચં) કર્યું હોય, અથવા બીજા પાસે કરાવ્યું હોય, કે બીજાનું ઠીક માન્યુ હોય તે પણ દુષ્કૃત, રાગથી,