________________
૧૩૬
રોગમાયાથી મહાદેવ સાથે એના પિતા હાજરાહજૂર બતાવ્યા, ને ત્યાં પિતાએ કહ્યું: “જે કુમારપાળ ! આ શંકર ભગવાનની ભક્તિથી હું સ્વર્ગ પાયે, તો તું પણ આ દેવને જ માનજેપૂજજે.” પછી કુમારપાળે હેમચંદ્રસૂરિજીને પૂછતાં એમણે રાજાને એના પૂર્વજોની પરંપરા ચોવીસ તીર્થકર ભગવાનની પૂજા કરતી બતાવી ! ને એ પૂર્વજોએ રાજાને જેન ધર્મ જ આરાધવા કહ્યું. રાજા વિચારમાં પડ્યો, ત્યાં સૂરિજીએ કહ્યું, “રાજન ! પેલી ય યોગમાયા, ને આ પણ ચોગમાયા ! ખરી રીતે તો જિન ધર્મ જ સકલ કલ્યાણનું, શુભ ભાવોનું, કારણ હોઈ માન્ય છે એ યુક્તિથી સિદ્ધ છે, માટે જ એ શરણ કરવા ગ્ય છે.” રાજા જિન ધર્મમાં સ્થિર શ્રદ્ધાવાળ બન્યું. એણે જેન ધર્મના વ્રત નિયમ, આચાર-અનુષ્ઠાન ને સુકૃત-સગુણોથી જીવનને એવું ગૂંથી લીધું કે સર્વત્ર સ્વ-પરને કલ્યાણભૂત દયા-વૈરાગ્યાદિ શુભ ભાવમાં એ રમતા રહેતા.
વળી ધર્મ છે “કસ્સવણ–વિહાવસૂ- જ્ઞાનાવરણાદિ કર્મરૂપી વનને બાળી નાખવા માટે અગ્નિ સમાન છે. કર્મવનમાં દુઃખનાં ને કલેશનાં ફળ નીપજે છે. સર્વજ્ઞ-કથિત શુદ્ધ ધર્મ ન પામવાને લીધે આત્મામાં એ વન ફૂલ્યું ફાવ્યું છે, અને અનાદિ અનંતકાળથી સંસારી જીવને એનાં દુઃખરૂપી કડવાં ફળે ચખાડ્યા કરે છે. દુઃખ એ કંઈ આત્માને સહજ સ્વભાવ નથી. એ તો કર્મના ઉદયે આવે છે. ત્યારે કર્મ હિસાદિ પાપથી જન્મે છે. સર્વ કહે શુદ્ધ અને સિદ્ધ અહિંસાદિ ધર્મ આ કર્મવનને બાળી ભસ્મીભૂત કરે છે. પછી દુઃખનું નામ-નિશાન પણ નથી રહેતું. પછી તે ફટિકવત્ નિર્મળ આત્મામાં અનંત જ્ઞાન અને અનંત સુખની શાશ્વત જ્યોતિ ઝગમગે છે. અહો ! કે સુંદર ધર્મ ! હું એને