________________
ss
સાંસારિક સુખના ઈરાદે કરેલા ધર્મથી અનર્થ –
મોક્ષ માટેની શુદ્ધ સાધના કેટલી બધી કપરી છે ! કેટલી દુર્લભ છે ! કેટકેટલે વિશ્વાસ માગે છે ! એમાં તો આશંસા એકમાત્ર આત્મહિતની જ રખાય. પણ જીવની મૂઢતા તો એવી હાય છે કે હજીય સાંસારિક સુખ-સન્માનના ઉદેશથી કપરાં કષ્ટ સહવા તૈયાર ને અનહદ ગુલામી કરવા તૈયાર! પરંતુ પોતાના આત્મહિત માટે જ એ કરવામાં એને વાંધા પડે છે! કેવું આશ્ચર્ય ? નાશવંત કાયા અને માયા પાછળ તૂટી મરાય, અવિનાશી આત્મા પાછળ વાતે ય નહિ ! તે એનું પરિણામ પણ કેટલું બધું દુખદ આવે છે ! નરક-તિર્યંચાદિ ગતિઓના જાલીમ દુખભર્યા ભવચકમાં પાછું ભમ્યા કરવાનું ! ભમ્યા કરવાનું !
અંગારર્દક આચાર્ય અભાવી છે. અભવીને આત્મદષ્ટિ જ ન જાગે, “મોક્ષ હોઈ શકે જ નહિ” એવી એની સજજડ માન્યતા, છતાં એ સ્વર્ગાદિની ઈચ્છાથી ઉગ્ર કષ્ટમય ચારિત્ર પાળે, શાસ્ત્ર ભણે, તપ કરે, પણ સરવાળે મીંડું ! દીર્ઘ દુર્ગતિઓમાં દટાઈ જવાનું ! આ આચાર્યે પોતાના બાહ્ય ત્યાગ અને ઉપદેશથી પ્રતિબધી ૫૦૦ શિષ્યો કરેલા. એમને શાસ્ત્રો ય ભણાવે, શાસ્ત્રમાં શ્રદ્ધા ચ કરાવે ! પરંતુ એક દિવસ બહારથી ગીતાર્થ મુનિ પધાર્યા, એમણે આચાર્યની આંતરિક સ્થિતિ પારખી, કેલસી પથરાવેલ જગા પર રાતના આચાર્ય એકલા ચાલતા નિર્દયપણે શું બેલતા હતા, તે ગુપ્તપણે એમના મુનિઓને બતાવ્યું ! પગ નીચેની કેલસીના કચુડ કચુડ અવાજ પર આચાર્ય બોલ્યા “વાહ, મહાવીરના જીવડા ! વાહ, શું તમારું સંગીત સરસ ! લે લે, કરે સંગીત.” એમ કહી એના પર